તૌકતે વાવાઝોડાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે રાત્રે ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડમાં તૌકતે પરિવર્તિત થઈ જશે. ગોવાના પણજીથી 250 કિમી દરિયામાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડામાં પરિવર્તન વખતે પવનની ઝડપ 100 કિમી પ્રતિ કલાક રહેશે. જે બાદ તૌકતે વાવાઝોડું 16 મેથી પણજીથી રત્નાગીરી તરફ દરિયામાં આગળ વધશે. અને રત્નાગીરીથી 250 કિમી દૂર સમુદ્રમાં વાવાઝોડુ માર્ગ બદલશે.
તારીખ પ્રમાણે વાવાઝોડાની અપડેટ
તૌકતે વાવાઝોડું રત્નાગીરીથી ઉત્તર-પશ્વિમ તરફી માર્ગ બદલશે.
18મેના સવારે સોમનાથથી 260 કિમી દૂર દરિયામાં આક્રમક બનશે
વાવઝોડુ 18 કે 19 મેથી સૌરાષ્ટ્રના ભાગમા હીટ થવાની સંભાવના
18એ રાત્રે પોરબંદરથી દ્વારકાની વચ્ચે વાવાઝોડું હીટ થઈ શકે
વાવાઝોડુ પશ્વિમ તરફ આગળ વધશે તો નલિયામાં હીટ થવાની સંભાવના
વાવાઝોડા વખતે પવન 100થી 120 કિમી પ્રતિ કલાક હશે
18 મે અને 19મે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થશે
સૌરાષ્ટ્રના દરિયા કિનારે 15 ફૂટ સુધી મોજા ઉછળી શકે
મુખ્યમંત્રીએ વાવાઝોડાની તૈયારી અંગે આપ્યું નિવેદન
રાજ્ય પર સંભવિત તૌકતે વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે તૌકતે વાવાઝોડાને લઇને CM રૂપાણીએ કહ્યું કે વાવાઝોડાને લઇ રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી છે. કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. તમામ જિલ્લાઓને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. NDRFની ટીમો પહોંચી ગઇ છે. એકપણ મોત ના થાય તે દિશામાં કામગીરી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાવાઝોડું અસર કરશે.
ગુજરાતના દરિયા કિનારે આવનારા 'તૌકતે' વાવાઝોડાને લઈને રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે. વાવાઝોડાને લઈ કોંગ્રેસના નેતાઓને લોકોની મદદ માટે હાકલ કરી છે. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં કોંગ્રેસના નેતાઓ લોકોની મદદ માટે પહોંચે તેવું રાહુલ ગાંધીએ સંદેશો આપ્યો છે. જરૂરિયાતમંદોને કોઈપણ ભોગે મદદ કરો. ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, ગોવા અને તમિલનાડુમાં વાવાઝોડા તૌકતેની અસર જોવા મળશે.