બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યમાં એકસાથે 29 તલાટીઓની બદલી, એ પણ એક જ જિલ્લામાં, જાણો કેમ
Last Updated: 03:02 PM, 13 December 2025
Talati Transfer : રાજ્યમાં એકસાથે 29 તલાટીઓની બદલીને વહીવટીતંત્રમાં ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ પંચમહાલ જિલ્લામાં તાજેતરમાં સામે આવેલા બોગસ લગ્ન કૌભાંડ બાદ જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ કડક વલણ અપનાવીને જિલ્લામાં એકસાથે 29 તલાટીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. એક જ જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં થયેલી બદલીથી તંત્રમાં ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT

શું છે સમગ્ર મામલો ?
ADVERTISEMENT
પંચમહાલ જિલ્લામાં તાજેતરમાં સામે આવેલા બોગસ લગ્ન કૌભાંડ બાદ અનેક સવાલો ઊભા થયા હતા. આ સાથે કેટલાક તલાટીઓ છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી એક જ પંચાયતમાં ફરજ બજાવી રહ્યા હતા. જોકે હવે તંત્ર દ્વારા એક સાથે 29 તલાટીઓના બદલીના આદેશ કરવામાં આવી છે.લાંબા સમયથી એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા તલાટીઓ સામે કાર્યવાહી કરવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું જણાવાઈ રહ્યું છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : શું તમે તો નથી ખાતા ને ભેળસેળીયું ઘી? ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડામાં ઝડપાયો શંકાસ્પદ જથ્થો
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા, ઘોઘંબા, કાલોલ, હાલોલ, ગોધરા અને મોરવા હડફ તાલુકાઓમાં ફરજ બજાવતા તલાટીઓની આ આંતરિક બદલી કરવામાં આવી છે. ખાસ કરીને લગ્ન નોંધણી સહિતની કામગીરીમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા કડક નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.