બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / જંગલેશ્વરમાં ડિમોલિશનનો બીજો દિવસ, આજે 300 મકાનો પર ચાલશે તંત્રનું બુલડોઝર

રાજકોટ / જંગલેશ્વરમાં ડિમોલિશનનો બીજો દિવસ, આજે 300 મકાનો પર ચાલશે તંત્રનું બુલડોઝર

Priyankka Triveddi

Last Updated: 10:30 AM, 24 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી મોટા પાયે ચાલી રહી છે ત્યારે આજે બીજા દિવસે પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અને આજે 300 મકાનો ઉપર બુલડોઝર ફરશે.

Rajkot Demolition : અમદાવાદમાં મેગા ડિમોલિશન હાથ ધરાયા પછી હવે દાદાનું બુલડોઝર રાજકોટ તરફ વળ્યું છે અને રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલોશનની કાર્યવાહી આજે બીજા દિવસે પણ મોટા પાયે હાથ ધરવામાં આવશે. આજે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આશરે 300 મકાનો પર બુલડોઝર ફરી વળશે. ખાસ ઉલ્લેખનીય છે કે ગઇકાલે આ બુલડોઝરે આશરે 1119 મકાનો તોડી પાડયા હતા.

જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન , બીજા દિવસે પણ કાર્યવાહી યથાવત

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશનની કાર્યવાહી સતત બીજા દિવસે પણ યથાવત રાખવામાં આવી છે. રાજકોટના ઇતિહાસમાં આ સૌથી મોટું ડિમોલિશન ગણાઈ રહ્યું છે. પ્રશાસન દ્વારા ગેરકાયદે બનાવાયેલા મકાનો અને પ્રોપર્ટી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજા દિવસે પણ વહેલી સવારે જ પોલીસ કાફલો અને મ્યુનિસિપલ ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને કામગીરી ચાલુ કરી દીધી છે. આજે અંદાજે 300 થી 400 મકાનો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે કાર્યવાહી પૂર્ણ થઈ શકે.

DCP હેતલ પટેલનું નિવેદન

સમગ્ર મામલે DCP હેતલ પટેલે જણાવ્યું હતું કે,

ડિમોલિશનની કામગીરી સંપૂર્ણ કાયદેસરની પ્રક્રિયા હેઠળ ચાલી રહી છે. આજે પણ પોલીસ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને કામગીરી યથાવત છે. ગઈકાલે એક હજારથી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધી કોઈ અનિચ્છનીય બનાવ સામે આવ્યો નથી અને સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. સ્થાનિક લોકો દ્વારા પણ પ્રશાસનને સારો સહકાર આપવામાં આવ્યો છે. જેના કારણે કામગીરી સરળતાથી આગળ વધી રહી છે.

પહેલા દિવસે 1119 મકાનો તોડી પડાયા

ડિમોલિશનની શરૂઆત પહેલા દિવસે મોટા પાયે કરવામાં આવી હતી. દિવસ દરમિયાન કુલ 1119 પ્રોપર્ટીનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાંથી 997 મિલકતો નદીના પટ વિસ્તારમાં હતી અને તેમાંથી 681 મકાનો નદીના પટમાંથી દૂર કરવામાં આવ્યા હતા. રાત સુધી ચાલી રહેલી કામગીરી દરમિયાન એક હજારથી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. પ્રશાસન દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની અશાંતિ ન સર્જાય.

Parul University

આ પણ વાંચો: PSI ભરતીની પસંદગી યાદી જાહેર, 472 ઉમેદવારોના નામ, 95 વેઈટીંગ લિસ્ટમાં, 1 લાખથી વધુએ આપી લેખિત પરીક્ષા

rajkot-jungleshvar

આજે 300 જેટલા મકાનો તોડવાની કાર્યવાહી

મેગા ડિમોલિશનના બીજા દિવસે પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી તેજ ગતિએ શરૂ છે. પ્રશાસનના જણાવ્યા અનુસાર હજુ પણ લગભગ 300 થી 400 મકાનો બાકી છે જેને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે પણ બુલડોઝર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત ચાલી રહેલી આ કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે. પ્રશાસનનો દાવો છે કે સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે અને કાનૂની માપદંડો મુજબ અમલમાં મુકાઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન Mega Bulldozer Action Rajkot Demolition
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ