બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફાફડા-જલેબીને લાગ્યું વરસાદી ગ્રહણ! વેપારીઓએ તાબડતોબ લીધો ચોંકાવનારો નિર્ણય, જાણો
Last Updated: 03:30 PM, 1 October 2025
નવરાત્રિમાં વરસાદ પડ્યા પછી વાતાવરણમાં ભેજ અને ઠંડક પ્રસરી ગઈ છે. દશેરાને આડે માત્ર એક જ દિવસ બચ્યો છે અને હવામાનની સીધી અસર અમદાવાદમાં ફાફડા-જલેબીના વેપાર પર જોવા મળી રહી છે. સાથે જ ઘરાકી પણ ઘટે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે.
ADVERTISEMENT
અમદાવાદમાં વરસાદને લીધે એક તરફ ઠંડક અને ભેજવાળું વાતાવરણ થઈ ગયું છે ત્યાં બીજી તરફ શહેરમાં ફાફડા-જલેબીના વેચાણ પર તેની સીધી અસર થઈ છે. ગુજરાતીઓ માટે ખાસ કરીને દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવા એ એક પરંપરા છે. પરંતુ આ વખતે અચાનક વરસેલા વરસાદે ફાફડા-જલેબીના વિક્રેતાઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. વાતાવરણના ભેજને કારણે ફાફડા નરમ થઈ ગયા, જેને લીધે વિક્રેતાઓ ફાફડાનો મોટા પ્રમાણમાં સ્ટોક રાખી શકતા નથી.
ADVERTISEMENT
ફાફડા-જલેબી વિક્રેતાઓનું કહેવું છે કે વરસાદના કારણે વેપારીઓએ સ્ટોક ઓછો કર્યો છે. ફાફડાને હવા લાગતા નરમ થઈ જતા હોવાથી સ્ટોક નહીં કરાય. જયારે વરસાદને કારણે ઘરાકીમાં પણ મંદી જોવા મળે તેવી સંભાવના છે. વરસાદના કારણે ફાફડા નરમ થવાના કારણે વિક્રેતાઓ મોટા સ્ટોકમાં માલ તૈયાર કરતા હતા તે હવે ઘટાડી દીધો છે.
ADVERTISEMENT

સાથે જ વરસાદને કારણે ઘરાકી પર પણ અસર જોવા મળી શકે છે. શહેરના ઘણા વિસ્તારોમાં લોકો દશેરાની સવારે ફાફડા-જલેબી ખાય છે. દશેરાના દિવસે વહેલી સવારે દુકાનો અને લારીઓએ ગ્રાહકોની લાંબી લાઈનો લાગી જાય છે. પરંતુ આ વર્ષે વરસાદના કારણે ઘણા વેપારીઓએ ઓછી માત્રામાં જ ફાફડા-જલેબી તૈયાર કરી રહ્યા છે. આ સિવાય એવું પણ સામે આવ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં 30 થી 50 રૂપિયાનો વધારો થયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: છેક દશેરાના આગલા દિવસે તંત્રએ લીધા ફરસાણના નમૂના, હવે શું, કાલ સુધીમાં તો બધાં લાખોની મીઠાઈ ઝાપટી જશે
ADVERTISEMENT
શહેરના નહેરુ નગર વિસ્તારમાં આવેલા લક્ષ્મી ગાંઠિયા રથના અલ્પેશ ટાંકે દશેરાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ અંગે જણાવ્યું, "હાલમાં વરસાદની આગાહીને કારણે અમે કોઈ પૂર્વ તૈયારી નથી કરી. અમે લાઇવ તાવડા રાખીશું, હજુ સુધી કોઈ પૂર્વ તૈયારી નથી કરી. ખરાબ વાતાવરણ છે, વરસાદની આગાહી છે. વસ્તુની ક્વોલિટીમાં અમે કોઈ કોમ્પ્રોમાઇસ નથી કરતા, એટલે અમે કોઈ જ પૂર્વ તૈયારી નથી કરી. ભેજને કારણે ફાફડાને હવા લાગી જવાના ચાન્સ છે, એટલે કાલે લાઈવ તાવડા જ રાખીશું."
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.