વિદ્યા સહાયક ભરતી મુદ્દે અરજદારોને રાહત આપતા ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું કે, 'સરકારના પરિપત્રને હાલ અમલમાં નહીં મૂકાય.'
વિદ્યા સહાયક ભરતી મુદ્દે અરજદારોને હાઈકોર્ટે આપી રાહત
HCએ ભરતી મુદ્દે સરકારના પરિપત્ર પર લગાવી રોક
પરિપત્રમાં ભરતીના આગળના વર્ષોની સિનિયોરિટી નહીં ગણવાનો ઉલ્લેખ હતો
વિદ્યા સહાયક ભરતી મુદ્દે અરજદારોને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હાઇકોર્ટે ભરતી મુદ્દે સરકારના પરિપત્ર પર રોક લગાવી છે. જણાવી દઇએ કે, સરકારના પરિપત્રમાં ભરતીના આગળના વર્ષોની સિનિયોરિટી નહીં ગણવાનો ઉલ્લેખ કરાયો હતો.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 16, 2022
સિનિયોરિટી મુદ્દે કોર્ટમાં કરાઇ હતી અરજી
અગાઉની નોકરીના વર્ષોની સિનિયોરિટી બદલી સમયે ગણવા અરજદારની રજૂઆત હતી. સિનિયોરિટી મુદ્દે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે હાઇકોર્ટ આ મામલે રાહત આપતા જણાવ્યું કે, 'સરકારના પરિપત્રને હાલ અમલમાં નહીં મૂકાય.'