બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ અને 26 સિનિયર સિવિલ જજની બદલી, જુઓ આખું લિસ્ટ
Last Updated: 12:25 PM, 7 August 2026
ગુજરાત હાઇકોર્ટે રાજ્યની તાબાની અદાલતોમાં ન્યાયિક અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતીના આદેશો જાહેર કર્યા છે. વિવિધ કેડરના જજોની આંતર જિલ્લા બદલી, આંતરિક કોર્ટ બદલી તેમજ પ્રમોશન સાથે નવી નિમણૂકો કરવામાં આવી છે. તમામ અધિકારીઓએ પોતાની નવી જગ્યાએ 17 ઓગસ્ટ 2026 સુધીમાં ચાર્જ સંભાળવાનો રહેશે. હાઇકોર્ટના આ નિર્ણયથી સિવિલ જજ, સિનિયર સિવિલ જજ અને ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં વ્યાપક ફેરફાર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
63 સિવિલ જજની આંતર જિલ્લા બદલી
સિવિલ જજ કેડરમાં રાજ્યની તાબાની અદાલતોમાં કુલ 63 જજોની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં એક જ કોર્ટ અંતર્ગત આંતરિક બદલીઓ પણ કરવામાં આવી છે.આંતરિક બદલીમાં અમદાવાદમાં 2, ભરૂચમાં 2, ભાવનગરમાં 1, દાહોદમાં 1, ગાંધીનગરમાં 1, કચ્છમાં 3, મહેસાણામાં 3, મોરબીમાં 1, રાજકોટમાં 6, સાબરકાંઠામાં 1, સુરતમાં 6 અને વડોદરામાં 2 સિવિલ જજનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
સિનિયર સિવિલ જજ કેડરમાં ફેરફાર
સિનિયર સિવિલ જજ કેડરમાં 26 જજોની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે. જ્યારે 79 જજોને પ્રમોશન આપવામાં આવ્યું છે.આ કેડરમાં અમદાવાદમાં 37, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 5, ભાવનગરમાં 2, દાહોદમાં 2, દ્વારકામાં 2, ગાંધીનગરમાં 4, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 8, જુનાગઢમાં 3, કચ્છમાં 1, ખેડામાં 7, મહેસાણામાં 6, મોરબીમાં 3, નર્મદામાં 2, પાટણમાં 1, પોરબંદરમાં 2, રાજકોટમાં 21, સાબરકાંઠામાં 5, સુરતમાં 19, સુરેન્દ્રનગરમાં 2, વડોદરામાં 21 અને વલસાડમાં 2 જજોની આંતરિક બદલી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં પણ મોટા ફેરફાર
ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં કુલ 67 જજોની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે. ઉપરાંત પ્રમોશન સાથે ટ્રાન્સફર કરાયેલા 57 જજોને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ સિવાય 86 જજોને એડિશનલ સેશન્સ અથવા સેશન્સ કોર્ટમાંથી સેશન્સ ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે. આ બદલીઓમાં અમદાવાદમાં 9, અમરેલીમાં 2, આણંદમાં 4, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 6, ભરૂચમાં 5, ભાવનગરમાં 3, બોટાદમાં 1, છોટા ઉદેપુરમાં 1, ગાંધીનગરમાં 4, જામનગરમાં 2, કચ્છમાં 8, ખેડામાં 1, મહેસાણામાં 5, મોરબીમાં 1, નવસારીમાં 1, પાટણમાં 2, રાજકોટમાં 8, સુરતમાં 17, સુરેન્દ્રનગરમાં 4 અને વડોદરામાં 11 જજનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સેંકડો પરિવારોને પાણી પહોંચાડી ટાંકીમાં 'લીલુ પાણી', VTVના રિપોર્ટરે ટાંકીની અંદર ઉતરીને કર્યો ખુલાસો
ન્યાયિક વ્યવસ્થામાં વહીવટી ફેરફારો
ADVERTISEMENT
ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલી આ વ્યાપક બદલી અને બઢતીનો હેતુ રાજ્યની તાબાની અદાલતોમાં વહીવટી વ્યવસ્થા વધુ અસરકારક બનાવવાનો અને ન્યાયિક કામગીરીને વધુ સુવ્યવસ્થિત કરવાનો છે. નવી જગ્યાએ નિયુક્ત થયેલા તમામ જજોએ નિર્ધારિત સમયમર્યાદામાં ફરજ સંભાળવાની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.