બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અજમલભાઈ ચૌધરી મારામારી કેસમાં મોટી કાર્યવાહી, મહંત બળદેવગીરીની અટકાયત, પોલીસ પૂછપરછ શરૂ
Last Updated: 12:20 PM, 7 August 2026
Ajmal Chaudhary Case : બનાસકાંઠામાં અજમલભાઇ ચૌધરી સાથે થયેલી મારામારીના ચકચારી કેસમાં પોલીસે મહત્વની કાર્યવાહી કરી છે. ઓગડ જાગીરમઠના મહંત બળદેવગીરીની બનાસકાંઠા પોલીસે અટકાયત કરી છે. પોલીસ દ્વારા તેમને બ્લેક કલરની કારમાં ડીસા તાલુકા મથકે લાવવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
અજમલભાઇ ચૌધરી પર થયેલા હુમલાના મામલે મહંત બળદેવગીરી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ઘટનાને લઈને ફરિયાદ પક્ષ દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી હતી. હવે પોલીસે મહંત બળદેવગીરીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
આ ઘટના બાદ ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા આરોપીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો 11 ઓગસ્ટે ગાંધીનગર સુધી રેલી યોજવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.
અજમલ ચૌધરી કેસમાં ઓગડ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 7, 2026
જાગીરમઠના મહંત બળદેવગીરીની અટકાયત
ઓગડ જાગીરમઠના મહંત બળદેવગીરીની બનાસકાંઠા પોલીસે અટકાયત કરી
બળદેવગીરીને બ્લેક કલરની કારમાં ડીસા તાલુકા મથકે લવાયા
પોલીસ દ્વારા બળદેવગીરીની સઘન પૂછપરછ હાથ ધરાઈ
ઘટના બાદ ચૌધરી સમાજમાં રોષ, 11 ઓગસ્ટે ગાંધીનગર રેલીનું એલાન… pic.twitter.com/0dOyGFKf0M
ADVERTISEMENT
ADVERTISEMENT
ચૌધરી સમાજના આગેવાનો દ્વારા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સાથે મુલાકાત કરીને સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી. આરોપીઓ સામે નિષ્પક્ષ તપાસ અને કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ હવે પોલીસે મહંત બળદેવગીરીની અટકાયત કરી છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાને લઈને તેમની પૂછપરછ કરી રહી છે. તપાસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.