બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરોને રાહત, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો કયા કયા રૂટ

નિર્ણય / હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરોને રાહત, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો કયા કયા રૂટ

Priykant Shrimali

Last Updated: 07:34 PM, 19 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Holi Dhuleti GSRTC Extra Buses : Gujarat State Road Transport Corporation દ્વારા હોળી-ધૂળેટી પર 1300 વધારાની બસો: મુસાફરોને મોટી રાહત

Holi Dhuleti GSRTC Extra Buses : હોળી-ધૂળેટી પહેલા એસટી નિગમ દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાસ્તવમાં હોળી અને ધૂળેટીના તહેવારો નજીક આવતા જ રાજ્યભરમાં વતન જનાર મુસાફરોની સંખ્યા વધતી હોય છે. આ વધતી ભીડને ધ્યાનમાં રાખીને ગુજરાત એસ.ટી. નિગમે ખાસ વ્યવસ્થા જાહેર કરી છે. તહેવારો દરમિયાન મુસાફરોને સરળ અને સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે નિગમ દ્વારા 1300 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિગતો મુજબ આ વધારાની બસો દ્વારા અંદાજે 7500 જેટલી ટ્રિપો ચલાવવામાં આવશે, જેથી રોજગારી માટે શહેરોમાં રહેતા લોકો પોતાના ગામ-વતનમાં જઈ તહેવાર પરિવાર સાથે ઉજવી શકે.

કયા રૂટ પર રહેશે ખાસ સુવિધા?

હોળી-ધૂળેટીના દિવસોમાં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા શહેરોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ અને છોટાઉદેપુર તરફ જતાં મુસાફરો માટે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિસ્તારોમાં દર વર્ષે તહેવારો દરમિયાન ભારે મુસાફરી જોવા મળે છે, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

દ્વારકા અને ડાકોર જતા ભક્તો માટે વિશેષ આયોજન

દ્વારકા અને ડાકોરr ખાતે હોળી દરમ્યાન વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોવાથી હજારો ભક્તો દર્શનાર્થે જતા હોય છે. ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે 450 વધારાની બસો ફાળવવામાં આવી છે, જે લગભગ 3500 ટ્રિપો સંચાલિત કરશે. આ પગલાંથી દર્શનાર્થીઓને સરળ પરિવહન સુવિધા મળશે.

ક્યારે મળશે આ સેવા?

આ ખાસ સેવા 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 સુધી ઉપલબ્ધ રહેશે. તહેવારોની ભીડ ટાળવા અને સીટની ખાતરી કરવા માટે મુસાફરોને અગાઉથી બુકિંગ કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : ડાકોરમાં શિક્ષકે ધોરણ 9ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું, સ્કૂલ બદલી તો સંપર્ક કરીને હવસ સંતોષી

એડવાન્સ બુકિંગ અને માહિતી

મુસાફરો gsrtc.in વેબસાઈટ અથવા GSRTC મોબાઇલ એપ દ્વારા ઓનલાઈન બુકિંગ કરી શકે છે. ઉપરાંત, કોઈપણ માહિતી માટે 24 કલાક ટોલ ફ્રી નંબર 1800 233 666666 પર સંપર્ક કરી શકાય છે. રાજ્યના તમામ ડેપો પર પણ વધારાની બસોની માહિતી અને ટિકિટ ઉપલબ્ધ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Online Bus Booking Holi Dhuleti GSRTC Extra Buses GSRTC Extra Buses
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ