બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / હવે ખાતરની કાળા બજારી નહીં ચાલે! ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Last Updated: 11:25 AM, 9 June 2026
રાજ્યમાં ખાતરની કાળાબજારી પર અંકુશ લાવવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ખેડૂતોને ખાતરનું વિતરણ કેન્દ્ર સરકારના નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્ક (NFF) હેઠળ કરવામાં આવશે. નવી વ્યવસ્થાના અમલથી ખાતરના વિતરણમાં પારદર્શિતા વધશે અને ગેરરીતિઓને રોકવામાં મદદ મળશે.
ADVERTISEMENT
નવી યોજના મુજબ ખેડૂતોની જમીનના લેન્ડ રેકોર્ડ સાથે જોડાયેલી વિશેષ ઓળખ વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે. દરેક ખેડૂત માટે અલગ "ફાર્મર આઈડી" બનાવવામાં આવશે, જેના આધારે ખાતરની ખરીદી અને વિતરણની સંપૂર્ણ માહિતી નોંધાશે.

ADVERTISEMENT
હાલમાં ખેડૂતોને ઓથેન્ટિકેશન પ્રક્રિયા બાદ પ્રતિ ખેડૂત મહત્તમ 50 બેગ ખાતર આપવાની વ્યવસ્થા છે. જોકે નવી સિસ્ટમ અમલમાં આવ્યા બાદ ખેડૂતોની જમીનના વિસ્તાર અને પાકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ખાતરનું વિતરણ વધુ વ્યવસ્થિત રીતે કરવામાં આવશે.

ADVERTISEMENT
ખાતર વિતરણની આ ઓનલાઈન અને ડિજિટલ પ્રક્રિયા અંગે VTV NEWS દ્વારા અગાઉ વિશેષ અહેવાલમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી. હવે કેન્દ્ર સરકારના નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્કના અમલથી ખાતરની કાળાબજારી, જથ્થાબંધ ખરીદી અને ગેરવહેચટ જેવી સમસ્યાઓ પર અસરકારક નિયંત્રણ શક્ય બનશે.
આ પણ વાંચોઃ હારીજ નાગરિક બેન્કમાં 13 ખાતા ખોલાવી કરોડોના વ્યવહારો કર્યા, ખાતા ભાડે આપનાર સહિત 20 સામે ગુનો
ADVERTISEMENT
સરકારનું માનવું છે કે નવી વ્યવસ્થાથી વાસ્તવિક ખેડૂતો સુધી ખાતર સમયસર અને યોગ્ય પ્રમાણમાં પહોંચશે, જેના કારણે કૃષિ ક્ષેત્રને પણ સીધો લાભ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.