ગુજરાત સરકારે નાના વેપારીઓ માટે આજે એક મહત્વની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફેસબુકના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા આત્મનિર્ભર ગુજરાત' યોજનાની જાહેરાત કરી છે. શુ છે જોગવાઈ તે જાણીએ.
ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી
રાજ્યના 10 લાખથી વધુ લોકોને યોજનાનો લાભ મળશે
1 લાખ રૂપિયા સુધી લોન કારીગરો,વેપારીને મળશે
ગુજરાત સરકારે 'આત્મનિર્ભર ગુજરાત' યોજનાની જાહેરાત કરી છે. રાજ્યના 10 લાખથી વધુ લોકોને આ યોજનાનો લાભ મળશે. 1 લાખ રૂપિયા સુધી લોન કારીગરો, વેપારીને મળશે. આ લોનનું વ્યાજ 12 ટકાને બદલે માત્ર 2 ટકા જ વસૂલવામાં આવશે. અરજીને આધારે કોઈપણ ગેરન્ટી વગર રૂા. 1 લાખ સુધીની લોન મળશે.
નાના વેપારીઓને 6 ટકાના દરે લોન
નાના વેપારીઓને 6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચુકવશે. છ મહિના સુધી કોઈ જ હપ્તો ભરવાનો નહીં રહે. કોપરેટિવ બેંકો પણ સહાય માટે સહમત થઈ છે. પૈસા લોકોના હાથમાં આવશે તો લોકો આત્મનિર્ભર થઈ શકશે. ગુજરાતના ખૂણે ખૂણે આ વ્યવસ્થા બનેલી રહેશે.
યોજનાની મુખ્ય વાતો
રાજ્યના 10 લાખથી વધુ લોકોને યોજનાનો લાભ મળશે
1 લાખ રૂપિયા સુધી લોન કારીગરો,વેપારીને મળશે
12 ટકાની જગ્યાએ માત્ર 2 ટકાના દરથી લોન મળશે
અરજીના આધારે 1 લાખ સુધીની લોન અપાશે
નાના વેપારીઓની લોનના 6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે
છ મહિના સુધી કોઈ જ હપ્તો ભરવાનો નહી રહે
કોપરેટિવ બેંકો પણ સહાય માટે સહમત થઈ છે
મહત્વનું છે કે PM મોદીએ મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધન દરમ્યાન આત્મનિર્ભર ભારત સાથે 20 લાખ કરોડ પેકેજની જાહેરાત કરી હતી. જેના સંદર્ભે રૂપાણી સરકારે પણ આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરી હતી.