ગુજરાત સરકાર લાભ પાંચમથી મગ, અડદ અને સોયાબીન,મગફળી જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે
ગુજરાત સરકારે ટેકાના ભાવ કર્યા જાહેર
લાભ પાંચમથી 4 પાકોની ખરીદી થશે શરૂ
ગુજકોમાસોલ નોડેલ એજન્સી રહેશે
મગફળી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે. લાભ પાંચમથી મગ, અડદ અને સોયાબીન,મગફળીની ટેકાના ભાવે સરકાર ખરીદી શરૂ થશે. આ માટે 25 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે.90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ગુજકોમાસોલ ટેકાના ભાવે ખરીદી માટે નોડલ એજન્સી રહેશે તેવો નિર્ણય પણ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર
મગફળી 5,850 પ્રતિ ક્વિન્ટલ
મગના ભાવ 7,755 પ્રતિ ક્વિન્ટલ
અડદના ભાવ 6600 પ્રતિ ક્વિન્ટલ
સોયાબીનના ભાવ 4,300 પ્રતિ ક્વિન્ટલ
ખેતપેદાશના ટેકાના ભાવ બજારભાવ ન બની શકે?
વસ્તી વધી તેની સામે જમીનો ઘટી છે, ખેડૂતો ઘટ્યા છે અને તેના કારણે દેશે અનેક વસ્તુઓ બહારથી આયાત કરવી પડે છે. ખેડૂતનો દીકરો આજે ખેડૂત બનવા તૈયાર નથી. ખેડૂત દેવાના બોજ નીચે દબાયેલો જ રહે છે. આની પાછળનું કારણ શું? હજુ પણ એક ખેડૂતે લઘુતમ ટેકાના ભાવ પર આધાર રાખવો પડે છે. કેમ એવી કોઈ વ્યવસ્થા થતી નથી કે MSP અને MRP બન્ને એક સામાન હોય? એટલે કે ખેડૂતને ટેકાના ભાવ જેટલા જ ભાવ બજારમાં મળે. ખેડૂતોની સ્થિતિ સુધરતી નથી તેની પાછળ સરકાર જવાબદાર છે કે પછી સ્વયં ખેડૂતો? તે વિચારવા જેવો પ્રશ્ન છે. ત્યારે કેટલાક સવાલો થઈ રહ્યા છે કે સરકારે જ કેમ ટેકાના ભાવે ખરીદી કરવી પડે છે?. ખેત પેદાશનાં બજારભાવનું સરકાર કેમ કરે છે નિયમન?