બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Gujarat Department of vehicles has a target of recovering rs. 5100 crore in taxes and penalties
ADVERTISEMENT
રાજ્યમાં જ્યારથી નવા ટ્રાફિક રૂલ્સ લાદવામાં આવ્યાં છે ત્યારથી નાગરિકોમાં ભારે અફરાતફરી મચી ગઇ છે. સરકારે લોકોને ઊંઘતા રાખીને લાદી દીધેલા કડક ટ્રાફિક નિયમોના કારણે લોકો રસ્તાઓ પર કતારબદ્ધ જોવા મળી રહ્યાં છે. નોટબંધી વખતે સર્જાયા હતાં તેવાં જ દ્રશ્યો આ દિવસોમાં જોવા મળી રહ્યાં છે. નાગરિકો કામ-ધંધા મૂકીને ડ્રાઈવિંગ લાઈસન્સ, પીયુસી, હેલ્મેટ અને વ્હીકલ વીમાની વ્યવસ્થા કરવા વ્યસ્ત બન્યાં છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં સરકારનો પરિપત્ર વાયરલ થતાં લોકોમાં ઉગ્ર રોષ
નાગરિકો આમ તો લાઈનમાં શિસ્તબદ્ધ ઊભેલા દેખાય છે પરંતુ તેમના દિલ અને દિમાગમાં સરકાર વિરુદ્ધ ઘમાસાણ ચાલી રહ્યું છે અને મોકો મળે ત્યારે સરકાર સામે સવાલ પર સવાલ કરવા લાગ્યા છે. લોકોને આવો મોકો ત્યારે મળી ગયો કે જ્યારે તેમની નજરે સરકારનો પરિપત્ર ચડ્યો. વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરે નાણાંકીય વર્ષ 2019-20 માટે ગુજરાતમાંથી 5100 કરોડ દંડ પેટે ઉઘરાવવાનો ટાર્ગેટ આપ્યો છે. એકલા મહેસાણા જિલ્લાને 138.18 લાખનો ટાર્ગેટ અપાયો છે. આ સંદર્ભનો પત્ર બુધવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો લોકોને સરકાર સામે રોષ વ્યક્ત કરવાનું એક સબળ કારણ મળી ગયું.
ગુજરાતની ભાજપ સરકારે ટ્રાફિક નિયમના નામે લોકોના ખિસ્સામાંથી 5100 કરોડ રૂપિયા ખંખેરી લેવાનો ટાર્ગેટ આપ્યો છે. ગાંધીનગરથી જે આદેશ છૂટ્યાં છે તેમાં એકલા મહેસાણા જિલ્લાની કચેરીને 138.18 લાખનો ટાર્ગેટ અપાયો છે. આ માટે મોટર વાહન નિરીક્ષકને મહિને 9 લાખ તેમજ સહાયક મોટર વાહન નિરીક્ષકને 9 લાખનો ટાર્ગેટ અપાયો છે. બંને અધિકારીઓની ટીમો આખા વર્ષમાં ચોવીસેય કલાક ચેક પોઈન્ટ પ્રમાણે કાર્યરત રાખવા આદેશ કરાયો છે, ચેકિંગ અધિકારીઓની ટીમ દ્વારા રોજ 8-8 કલાક કામગીરી કરવાની તાકીદ કરાઈ છે.
ADVERTISEMENT
સલામતીની આડમાં મોટી રકમ ઉઘરાવવાની સરકારની પેરવી
અધિકારીઓએ જે કંઈ ઊઘરાણા કર્યા હોય તેનો રિપોર્ટ રોજેરોજ 4.0 અને ઈ-ચલણમાં અપલોડ કરવાનો આદેશ આપ્યો છે. તો અમદાવાદ-સુરત-વડોદરા જેવા શહેરો માટે તો ખૂબ તગડી રકમનો ટાર્ગેટ આપ્યો છે તે વાત નક્કી છે. દેખીતી રીતે જ લોકોની સલામતીની આડમાં સરકાર મોટી રકમ ઉઘરાવવાની પેરવી કરી રહી છે. છતાં ગુજરાતની ભાજપ સરકાર વારંવાર એવું રટણ કરી રહી છે કે, સરકારને દંડની રકમમાં કોઈ રસ નથી, લોકોની સલામતી માટે કાયદો છે.
ADVERTISEMENT
સરકારની આ નીતિ એ બતાવી રહી છે કે, લોકોની સલામતીના બહાનાની આડમાં તિજોરી ભરવા માંગે છે. સરકાર ચોક્કસ આંકડામાં નાણાં સરકારી તિજોરીમાં જમા થાય તેવો ટાર્ગેટ રાખી રહી છે અને વાત કરે છે નાગરિકોની સલામતીની પરંતુ જો સરકારને નાગરિકોની સલામતીની જ ચિંતા હોય તો પછી દરેક નાગરિકોને ચોક્કસ સમય મર્યાદામાં વિના શુલ્ક ડ્રાઈવિંગ લાઈસન્સ મળી જાય, હેલ્મેટ મળી જાય, પીયુસી મળી જાય, આરસીબુક મળી જાય અને રોડ રસ્તા રિપેર થઈ જાય. તે ટાર્ગેટ સરકાર કેમ નથી રાખતી? હકીકતમાં લોકો દંડ ભરશે તો તેની સલામતી નિશ્ચિત થઈ જશે તેવો કોઈ તર્ક નથી. પરંતુ સરકાર રોડ રસ્તા રિપેર કરવાનો અને ડોક્યુમેન્ટ અંગે નાગરિકોની બેચેની ઓછી કરવાનો ટાર્ગેટ પૂર્ણ કરશે તો અકસ્માતોની સંખ્યા ચોક્કસ ઘટશે જ તે વાત નક્કી છે.
ADVERTISEMENT
Read Also: વાહન વ્યવહાર સચિવે કહ્યુ, RTOને ગયા વર્ષે સરકારે 4500 કરોડ વસૂલવાનો ટાર્ગેટ આપ્યો હતો
ADVERTISEMENT
RTO પરિપત્ર મુદ્દે સરકારની શું છે સ્પષ્ટતા?
5100 કરોડની રકમ ટેક્સને લઇને છે સુનૈના તોમર જણાવ્યું હતુ કે, વાહન ચાલકો દંડ અને લક્ષ્યાંક મુ્દાને કોઇ લેવા દેવા નથી. સરકાર જનતા પાસેથી પેનલ્ટી વસૂલવામાં રસ નથી. સરકાર પાસે જતી દંડની રકમ કે વાહનવ્યવહાર વિભાગના આ ટાર્ગેટમાં ચેકપોસ્ટ, બસ ટેક્સ બધી આવતનો સમાવેશ થઈ જાય છે. દર વર્ષે વાહનવ્યવહાર વિભાગને આ અંગે એક ટાર્ગેટ આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.