બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, કરોડોના ખર્ચે બનેલા સરકારી આવાસનું કરશે લોકાર્પણ
Last Updated: 08:32 AM, 11 July 2026
Amit Shah In Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ પર્યાવરણ સંરક્ષણ અને વિકાસલક્ષી અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે. ખાસ કરીને ગાંધીનગર લોકસભા મતવિસ્તારને વધુ હરિયાળો બનાવવા માટે 12 જુલાઈના રોજ વિશાળ સામૂહિક વૃક્ષારોપણ અભિયાન યોજાશે. આ ઉપરાંત અમદાવાદમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ₹60.68 કરોડના ખર્ચે નિર્મિત 188 આધુનિક સરકારી આવાસોનું ઇ-લોકાર્પણ પણ તેમના હસ્તે કરવામાં આવશે.
ADVERTISEMENT
જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?
'ગાંધીનગર લોકસભા-હરિયાળી લોકસભા'ના સંકલ્પ સાથે યોજાનાર આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માત્ર વૃક્ષો વાવવાનો નથી, પરંતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવી વૃક્ષોના લાંબા ગાળાના જતનને જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો છે. સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતી તમામ સાત વિધાનસભા બેઠકોમાં એકસાથે સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. દરેક પરિવારને પરિવારના દરેક સભ્યના નામે ઓછામાં ઓછો એક છોડ વાવી તેની સંભાળ રાખવાનો સંકલ્પ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. વર્ષ 2026-27 દરમિયાન સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 1,01,10,026 વૃક્ષો વાવવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેમાં સૌથી વધુ અંદાજે 52.64 લાખ વૃક્ષોનું વાવેતર સાણંદ વિધાનસભા વિસ્તારમાં કરવામાં આવશે. ઉપરાંત કલોલ, ગાંધીનગર ઉત્તર સહિત અન્ય વિસ્તારોમાં પણ લાખોની સંખ્યામાં વૃક્ષો વાવી હરિયાળું આવરણ વધુ વિસ્તૃત કરવાની યોજના બનાવવામાં આવી છે.
ADVERTISEMENT
આ અભિયાન અગાઉના વર્ષોમાં મળેલી સફળતાનો પણ આગળનો તબક્કો છે. વર્ષ 2019થી 2025 દરમિયાન સતત હાથ ધરાયેલા વૃક્ષારોપણના પ્રયાસોથી ગાંધીનગર લોકસભા વિસ્તારના ગ્રીન કવરમાં 11.25 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ પરિણામ દર્શાવે છે કે વૈજ્ઞાનિક આયોજન અને સતત જતન સાથે કરવામાં આવતું વૃક્ષારોપણ પર્યાવરણ માટે અસરકારક સાબિત થઈ રહ્યું છે. શહેરી વિસ્તારોમાં હરિયાળી વધારવા માટે અત્યાર સુધી અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં કુલ 94 હાઈ-ટેક ઑક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યા છે.
સાબરમતી, ગોતા, થલતેજ, બોડકદેવ, સરખેજ, વેજલપુર સહિતના વિસ્તારોમાં જાપાનની પ્રખ્યાત મિયાવાકી પદ્ધતિ અને ઘનિષ્ઠ વાવેતર ટેક્નિક દ્વારા ટૂંકા સમયમાં અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ પાર્ક હવાની ગુણવત્તા સુધારવા, શહેરનું તાપમાન ઘટાડવા અને જૈવવૈવિધ્ય જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. વૃક્ષારોપણ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાઈ શકે તે માટે ઓનલાઈન નોંધણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો પોતાના નજીકના નિર્ધારિત સ્થળે જઈ અભિયાનમાં ભાગ લઈ શકશે અને સત્તાવાર વેબસાઇટ પર નોંધણી કરાવી શકશે. સરકાર દ્વારા દરેક નાગરિકને માત્ર વૃક્ષ વાવવાનું નહીં પરંતુ તેના ઉછેર અને સંરક્ષણની જવાબદારી પણ સ્વીકારવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 11, 2026
ગાંધીનગર લોકસભાને હરિયાળી બનાવવા માટે કરાશે વૃક્ષારોપણ
60 કરોડના ખર્ચે બનેલ 188 સરકારી આવાસનું કરશે લોકાર્પણ
ગાંધીનગર લોકસભામાં આવતી તમામ વિધાનસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ#AmitShah #Gandhinagar #Gujarat #TreePlantation #Politics… pic.twitter.com/lMzHBKo3ba
સરકારી આવાસોનું પણ ઇ-લોકાર્પણ
ADVERTISEMENT
આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પ્રવાસ દરમિયાન અમદાવાદમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્મિત આધુનિક સરકારી આવાસોનું પણ ઇ-લોકાર્પણ કરશે. કુલ ₹60.68 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ચાર મલ્ટીસ્ટોરી ટાવરોમાં કુલ 188 સરકારી આવાસો બનાવવામાં આવ્યા છે, જેનો સીધો લાભ વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ના અધિકારીઓ અને કર્મચારીઓને મળશે. આ પ્રોજેક્ટ હેઠળ શાહીબાગમાં 40 'ઈ' કેટેગરીના આવાસો, એલ.ડી.સી.ઈ. સુંદરમ કોલોનીમાં 52 'ડી-1' કેટેગરીના આવાસો, શાહીબાગ પોલીસ સ્ટેડિયમ સામે 52 'સી' કેટેગરીના આવાસો તેમજ ફોટોલીથો પ્રેસ કોલોનીમાં 44 'બી' કેટેગરીના આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. આ ચારેય રહેણાંક સંકુલોમાં આધુનિક ડ્રોઇંગ રૂમ, ડાઇનિંગ વિસ્તાર, વિશાળ રસોડું, બેડરૂમ, માસ્ટર બેડરૂમ, ઓફિસ રૂમ, બાલ્કની, વોશ એરિયા, બગીચા અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પણ વાંચો : પગારમાં પેટ ના ભરાયું! તો લાંચ ખાધી, ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરીને ફરજિયાત નિવૃત કરાયો
ADVERTISEMENT
આ નવા આવાસોના લોકાર્પણ બાદ સરકારી સેવાના 40 વર્ગ-1 અધિકારીઓ, 104 વર્ગ-2 અધિકારીઓ અને 44 વર્ગ-3 કર્મચારીઓ સહિત કુલ 188 પરિવારોને આધુનિક અને સુવિધાસભર રહેઠાણ મળશે. સરકારના જણાવ્યા અનુસાર, કર્મચારીઓને કાર્યસ્થળ નજીક ગુણવત્તાયુક્ત રહેઠાણ ઉપલબ્ધ કરાવવાનો આ પ્રયાસ તેમના જીવનધોરણમાં સુધારો લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.