બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ફરીવાર સિંહનો હુમલો, ગિરનારના 50 પગથિયેથી જ બાળકને સિંહ ઉપાડી ગયો
Last Updated: 09:11 AM, 11 July 2026
Girnar Lion Attack : જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પરથી એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. વાસ્તવમાં આજે વહેલી સવારે ગિરનારની સીડીઓ ચઢી રહેલા 11 વર્ષના બાળક પર સિંહે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો સ્થાનિક સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
પ્રાથમિક વિગતો મુજબ મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી એક પરિવાર ગિરનાર યાત્રા માટે આવ્યો હતો. વહેલી સવારે અંદાજે પાંચ વાગ્યાના સમયે પરિવાર ગિરનારની સીડીઓ ચઢી રહ્યો હતો. તે દરમિયાન લગભગ 50મા પગથિયાંની આસપાસ 11 વર્ષનો મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પોતાના કાકા સાથે આગળ વધી રહ્યો હતો. અચાનક અંધારામાંથી એક સિંહ બહાર આવ્યો અને કિશોર પર હુમલો કરીને તેને મોઢામાં પકડી જંગલ તરફ ખેંચી ગયો. સમગ્ર ઘટના એટલી ઝડપથી બની કે પરિવારજનો બાળકને બચાવી શક્યા નહોતા.
આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા. જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ હજુ સુધી બાળકનો સંપૂર્ણ મૃતદેહ મળી આવ્યો નથી. શોધખોળ દરમિયાન બાળકનો એક પગ, બુટ અને કપડાં મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારની સઘન તપાસ ચાલુ રાખવામાં આવી છે.
ADVERTISEMENT
ચાર દિવસથી ગિરનારની સીડીઓ પર હતી સિંહની અવર-જવર
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણથી ચાર દિવસથી ગિરનારની સીડીઓ આસપાસ સિંહની અવરજવર જોવા મળી રહી હતી. તેમ છતાં યાત્રાળુઓની સુરક્ષા માટે પૂરતી તકેદારી લેવામાં આવી હતી કે નહીં તે અંગે પણ હવે સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
શું કહી રહ્યા છે પરિવારજનો ?
આ સમગ્ર ઘટનાને લઈને બાળકના પરિવારજનોએ પણ સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, ગિરનારની સીડીઓ પર ખાસ કરીને રાત્રિ અને વહેલી સવારે પૂરતી લાઇટિંગની વ્યવસ્થા હોવી જોઈએ. હજારો યાત્રિકો અંધારામાં ગિરનાર ચઢતા હોય છે અને પ્રકાશના અભાવે આસપાસ કોઈ વન્યજીવ હોય તો તેની જાણ થઈ શકતી નથી. જો યોગ્ય પ્રકાશ વ્યવસ્થા હોય તો આવી દુર્ઘટનાઓ ટાળવામાં મદદ મળી શકે.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, કરોડોના ખર્ચે બનેલા સરકારી આવાસનું કરશે લોકાર્પણ
ઘટના બાદ વન વિભાગે તપાસ શરૂ કરી છે અને હુમલો કરનાર સિંહની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. સાથે જ યાત્રાળુઓની સુરક્ષા માટે જરૂરી વધારાના પગલાં અંગે પણ વિચારણા શરૂ કરવામાં આવી છે. આ કરુણ ઘટનાએ ગિરનાર યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ ઉભો કર્યો છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.