બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMAમાં ‘ટ્રાન્સફોર્મ્ડ ઇન્ડિયા: રિડિફાઇન્ડ ડિપ્લોમસી’ વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું
Last Updated: 03:20 PM, 3 August 2026
AMA Ahmedabad : અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે ‘ટ્રાન્સફોર્મ્ડ ઇન્ડિયા: રિડિફાઇન્ડ ડિપ્લોમસી’ વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિદેશ બાબતોના વિભાગના પ્રભારી ડૉ. વિજય ચોથાઈવાલેએ મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી અને ભારતની બદલાતી વિદેશ નીતિ તથા વૈશ્વિક સ્તરે વધતી ભૂમિકાને સરળ ભાષામાં રજૂ કરી હતી.
ADVERTISEMENT

વ્યાખ્યાન દરમિયાન ડૉ. ચોથાઈવાલેએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વધુ સક્રિય અને આત્મવિશ્વાસપૂર્ણ અભિગમ અપનાવ્યો છે. વ્યૂહાત્મક સ્વાયત્તતા, વિવિધ દેશો સાથે મજબૂત ભાગીદારી અને વૈશ્વિક મુદ્દાઓમાં સક્રિય સહભાગિતાના કારણે આજે ભારત વિશ્વ મંચ પર વધુ પ્રભાવશાળી સ્થાન ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આધુનિક સમયમાં રાજદ્વારી માત્ર દ્વિપક્ષીય સંબંધો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ વેપાર, ટેક્નોલોજી, સુરક્ષા, આર્થિક વિકાસ અને વૈશ્વિક સહયોગ જેવા અનેક ક્ષેત્રોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત આ તમામ ક્ષેત્રોમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી રહ્યું છે.
ADVERTISEMENT
કાર્યક્રમમાં ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, શિક્ષણવિદો, વિદેશ નીતિમાં રસ ધરાવતા નાગરિકો તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વ્યાખ્યાન બાદ યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ઉપસ્થિતોએ વિવિધ મુદ્દાઓ અંગે પ્રશ્નો પૂછ્યા, જેના ડૉ. ચોથાઈવાલેએ વિસ્તૃત જવાબ આપ્યા હતા. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ ભારતની વૈશ્વિક રાજદ્વારી અને બદલાતા આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યને સમજવા માટે ઉપસ્થિતો માટે માહિતીપ્રદ અને ઉપયોગી સાબિત થયો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.