બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોરોના પોઝિટિવ આરોપીને સારવાર દરમિયાન ભાગી જવા દેવાના આક્ષેપે બે પોલીસકર્મીઓ સામે ટ્રાયલનો માર્ગ મોકળો
Last Updated: 03:27 PM, 3 August 2026
કોરોના મહામારી દરમિયાન સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા કોરોના પોઝિટિવ આરોપીને કસ્ટડીમાંથી ભાગી જવા દેવાના કેસમાં બે પોલીસકર્મીઓ સામે હવે ટ્રાયલ ચાલશે. સેશન્સ કોર્ટે બંને પોલીસકર્મીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે.
ADVERTISEMENT
કેસની વિગત મુજબ બળાત્કારના કેસમાં આરોપી સુનીલ ધીરુભાઈ ભંડેરીની કૃષ્ણનગર પોલીસે ૨૬ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ અટકાયત કરી હતી. ત્યાર બાદ તે કોરોના પોઝિટિવ જણાતાં તેને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.
આ દરમિયાન આરોપી સિવિલ હોસ્પિટલમાંથી નીકળી પશ્ચિમ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી ગયો હતો. ત્યાર બાદ તેણે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને પોતાનું સ્થળ જણાવ્યું હતું અને સિવિલ હોસ્પિટલની સારવાર અંગે ચિંતા હોવાથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT
આ કેસમાં આરોપીની સુરક્ષા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશકુમાર જીવાજી અને લોકરક્ષક (એલઆરડી) વનરાજસિંહ વિનુસિંહને કોવિડ હોસ્પિટલની બહાર બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા હતા. આરોપી બીજા દિવસે ગાયબ થઈ ગયા બાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં તેની તેમજ બંને પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો હતો.
બંને પોલીસકર્મીઓ પર આરોપીને ભાગી જવામાં મદદ કરવા, ચેપી રોગ ફેલાવવાની બેદરકારી દાખવવા અને સરકારી જાહેરનામાનો ભંગ કરવા સહિતની કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
બચાવ પક્ષે દલીલ કરી હતી કે કોવિડ હોસ્પિટલમાં પ્રવેશ પર કડક નિયંત્રણો હતાં અને અંદર માત્ર તબીબી સ્ટાફને જ જવાની મંજૂરી હતી. પોલીસકર્મીઓ હોસ્પિટલની બહાર ફરજ પર હતા. તેથી તેઓ આરોપી પર સીધી નજર રાખી શકતા નહોતા. ઉપરાંત તેમની સામેની ખાતાકીય કાર્યવાહી પણ તેમના પક્ષમાં પૂર્ણ થઈ હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ઓગસ્ટમાં મેઘરાજાની મહેર ઓછી: 10 ઓગસ્ટ 2019ના 4.2 ઇંચ વરસાદનો રેકોર્ડ છેલ્લા 7 વર્ષથી અકબંધ
ADVERTISEMENT
જોકે એડિશનલ સેશન્સ જજ એ.એમ. મેમણે બંને પોલીસકર્મીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરતાં જણાવ્યું હતું કે બંનેએ બેદરકારી અને નિષ્કાળજીપૂર્વક ફરજ બજાવી હોવાનો આરોપ છે, જેના કારણે આરોપી કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. આ આરોપો સાચા છે કે નહીં તે ટ્રાયલ દરમિયાન પુરાવાના આધારે નક્કી થશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.