બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જાહેરમાં ઘાસચારો નહીં વેચાય, તો મોટા અવાજે...! ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું
Last Updated: 09:21 AM, 9 January 2026
Uttarayan 2026 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેરની મુલાકાતે આવનાર છે. આ દરમિયાન શહેરની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા કારણોસર આ બંને દિવસોમાં અમદાવાદ શહેરને ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાવવાની સંપૂર્ણ મનાઈ રહેશે. આ માટે પોલીસ કમિશનર દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેનો તમામ નાગરિકોએ ફરજિયાત અમલ કરવાનો રહેશે.
ADVERTISEMENT
ઉત્તરાયણ પર્વને લઈને પણ જાહેરનામું અમલમાં
ઉત્તરાયણ પર્વ દરમિયાન અકસ્માતો, અવ્યવસ્થા અને નાગરિકોને તકલીફ ન પડે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અલગથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જાહેર સલામતી, ટ્રાફિક વ્યવસ્થા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વપૂર્ણ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.
ADVERTISEMENT
જાહેરનામામાં મુખ્ય નિયમો આ પ્રમાણે છે
ADVERTISEMENT

આ પણ વાંચો : 3.8ની તીવ્રતાના ભૂકંપથી ધ્રૂજી જેતપુર, ધોરાજી અને ઉપલેટાની ધરા, જુઓ CCTV
ADVERTISEMENT
નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી
પોલીસ કમિશનરના જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે BNS કલમ 223 તેમજ GP એક્ટ કલમ 113, 117 અને 131 મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ નિયમોનું પાલન કરીને સુરક્ષિત અને આનંદમય ઉત્તરાયણ ઉજવે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.