બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાયલોટનો છેલ્લો મેસેજ આવ્યો સામે, કહ્યું એવું કે વાંચીને તમે પણ ચોંકી ઉઠશો
Jay Bhatt
Last Updated: 12:47 PM, 14 June 2025
ગુજરાતના અમદાવાદમાં બે દિવસ પહેલા એટલે કે 12 જૂન ગુરુવારે થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787-8 વિમાન લંડન માટે ઉડાન ભર્યાના થોડીવાર પછી જ ક્રેશ થઈ ગયું હતું. આ ભીષણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયાના અહેવાલ છે, જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરો તેમજ બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલના 34 લોકોનો સમાવેશ થાય છે. આ ઘટનાની તપાસ માટે અનેક એજન્સીઓ કામ કરી રહી છે.
ADVERTISEMENT
હોસ્ટેલમાં આટલા લોકો હાજર હતા
જ્યારે હોસ્ટેલ બિલ્ડિંગ પર પ્લેન ક્રેશની ઘટના બની ત્યારે ત્યાં 60થી વધુ ડૉકટરો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર હતો. જેમાંથી 34 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ગંભીર અકસ્માતમાં કુલ મૃત્યુઆંક 275 પર પહોંચી ગયો છે. અને હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
ADVERTISEMENT
મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં DNA ટેસ્ટનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 230થી વધુ નમૂના લેવામાં આવ્યા છે. 50 ટકાથી વધુ મૃતદેહો ખરાબ રીતે બળી ગયા છે, જેના કારણે તેમની ઓળખ કરવી એ એક મોટો પડકાર બની ગયો છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ લેબ સાથે મળીને DNA ટેસ્ટીગની કામગીરી કરી રહ્યા છે.
ADVERTISEMENT
શું હતો પાયલોટનો છેલ્લો મેસેજ?
અકસ્માતની ઘટના બની તે પહેલા પાયલોટે મેસેજ કર્યો હતો. જેના પર હવે સવાલ ઉભો થાય છે કે શું તેને ખ્યાલ આવી ગયો હતો કે, પ્લેન ક્રેશ થવાનું છે. પ્લેનના પાયલોટ સુમિત સભરવાલે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને ફક્ત 4-5 સેકેન્ડનો મેસેજ મોકલ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે ''મેડે, મેડે, મેડે..પ્લેન ઉડાન ભરવામાં સક્ષમ નથી, બચીશું નહીં''. આ પછી તરત જ પ્લેન ક્રેશ થઈ ગયું હતું.
ADVERTISEMENT
આ એજન્સીઓ કરી રહી છે તપાસ
ADVERTISEMENT
આ દુર્ઘટનાની તપાસ ભારતની સાથે, અમેરિકા અને બ્રિટનની એજન્સીઓ પણ કરી રહી છે જેના માટે એજન્સીઓ અમદાવાદ પહોંચી છે. તપાસમાં સામેલ એજન્સીઓના નામ નીચે મુજબ છે.
ADVERTISEMENT
આ સિવાય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ઉચ્ચ સ્તરીય સમિતિ તમજ ગુજરાત પોલીસની ટીમ પણ ઘટનાની તપાસ કરી રહી છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે, આ વિમાન (VT-ANB 36279) 2019માં 7 મહિના માટે મુંબઈ એરપોર્ટ પર ગ્રાઉન્ડેડ હતું. નિષ્ણાતોના મતે, આટલા લાંબા સમય સુધી ગ્રાઉન્ડેડ રહેવું સામાન્ય નથી. જોકે, તે સમયે તેને શા માટે ગ્રાઉન્ડેડ કરાયું હતું તેના કારણો જાહેર કરવામાં આવ્યા ન હતા.
વધુ વાંચો : MAYDAY... MAYDAY... MAYDAY..., પ્લેન ક્રેશ પહેલા જ પાયલટે સિગ્નલ આપી દીધેલું, પરંતુ....!
બધા ડ્રીમલાઇનર વિમાનોની થશે તપાસ
આ દુર્ઘટના બાદ DGCA એ એર ઇન્ડિયાના સમગ્ર બોઇંગ 787 ડ્રીમલાઇનર કાફલાની સલામતી તપાસનો આદેશ આપ્યો છે. ખાસ કરીને GenX એન્જિનવાળા 787-8 અને 787-9 વિમાનોની દરેક ઉડાન પહેલાં સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. એર ઇન્ડિયા પાસે આવા કુલ 33 વિમાનો છે.
ટાટા ગ્રુપના ઇતિહાસમાં કાળો દિવસ
ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને આ ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કરતા તેને ટાટા ગ્રુપના ઇતિહાસનો સૌથી કાળો દિવસ ગણાવ્યો હતો. આ દુર્ઘટના પર તેમણે કહ્યું કે, ''ભારત, અમેરિકા અને બ્રિટનની તપાસ એજન્સીઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે તપાસ કરી રહી છે.''
12 જૂને બની હતી ગોઝારી ઘટના
એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 12 જૂન 2025ના ગુરુવારે બપોરે 1:38 વાગ્યે લંડન માટે ઉડાન ભરી હતી અને બપોરે 1:40 વાગ્યે ટેકઓફ કર્યાના બે મિનિટ પછી જ આ ક્રેશ થઈ ગઈ હતી. પ્લેન ક્રેશ થતાં જઆગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અનેક વિદેશી નાગરિકોના પણ મોત થયા હતા. બ્રિટનના રમેશ કુમાર વિશ્વાસ એકમાત્ર મુસાફર છે જે આ અકસ્માતમાં બચી ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.