બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / good-news-for-government-employees-gujarat-government-has-made-a-big-announcement

NULL / સરકારી કર્મચારીઓ માટે 'GOOD NEWS': ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગાંધીનગર: રાજ્ય સરકારે રાજયના ૯.૬૧ લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો ખુશ થાય તેવો મહત્વનો નિર્ણય લીધો છે. આ કર્મચારીઓ અને પેન્શનરોની વર્ષો જૂની મોંઘવારી ભથ્થામાં વધારો આપવાની માગ સ્વીકારવામાં આવી છે. જેમાં સરકારે વર્તમાન મોંઘવારી ભથ્થુ ૭ ટકા છે તે વધારીને 9 ટકા કરવાના અમલ માટે પરિપત્ર જાહેર કર્યો છે.

મળતી માહિતી મુજબ આ પરિપત્રમાં મોંઘવારી ભથ્થુ ૧ જુલાઈ ૨૦૧૮થી આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે રાજય સરકારના કર્મચારીઓને આનો લાભ ફેબ્રુઆરી મહિનાના પગારથી જ મળશે. તેમજ પગારની સાથે છેલ્લા સાત મહિનાનું એરિયર્સ પણ ચૂકવાશે. મહત્વનું છે કે અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આની જાહેરાત કરી હતી.

નીતિન પટેલે કરી હતી જાહેરાત
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપી છે. ગુજરાત સરકારના 7 ટકા મોંઘવારી ભથ્થુ આપે છે. ત્યારે કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કર્યો હતો. કેન્દ્રમાંથી તબક્કાવાર મોંઘવારી ભથ્થુ અપાય છે.

મોંઘવારી ભથ્થામાં વધારો આવતીકાલથી અમલમાં આવશે. 9.61 લાખ કર્મચારીઓને લાભ મળશે. એરિયર્સ સાથે ફેબ્રુઆરી મહિનાના પગારમાં ચુકવણી થશે. જુલાઇ 2018થી વધારો માન્ય રહેશે. રાજ્ય સરકાર પર રૂ.771 કરોડનું વાર્ષિક ભારણ વધશે. 

વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં રોજગારીમાં સતત વધારો થયો છે. ખાનગી અને સરકારી ક્ષેત્રમાં રોજગારીમાં વધારો થયો. સ્વરોજગારી માટેની મુદ્રા યોજનાનો લાભ થયો છે.

પ્લેસમેન્ટ માટે કોલેજોમાં સીધા ઇન્ટરવ્યું થાય છે. સરકાર રોજગારી વધે તે માટે આયોજનો કરી રહી છે. વાયબ્રંટમાં મોટા પ્રમાણમાં મુડી રોકાણ થઇ રહ્યું છે. બાંધકામ ક્ષેત્રમાં સૌથી વધુ રોજગારી. વેપાર-ધંધા વધે તેમ ખરીદ શક્તિ પણ વધે અને ટેક્સ પણ વધે.

કેન્દ્ર સરકારે પેન્શનરોને આપી ગિફ્ટ
બજેટમાં રજૂ કરવામાં આવેલ મેગા પેન્શન યોજનાનાં ધારકોને સરકાર વધુ લચીલા બનાવવા જઇ રહેલ છે. નાણાંમંત્રી પીયૂષ ગોયલે 1 ફેબ્રુઆરીનાં રોજ પ્રધાનમંત્રી શ્રમ ગોગી માનધાન યોજનાની જાહેરાત કરી હતી.

આમાં કહેવામાં આવ્યું હતું કે જે પણ 15 હજાર રૂપિયા અથવા તો તેનાંથી ઓછા કમાય છે તેને પેન્શન આપવામાં આવશે. પરંતુ હવે જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર લાભાર્થીઓની સંખ્યા વધારવા માટે 15 હજારથી વધારે મહીના કમાનારા લોકોને પણ પેન્શન આપશે.

કેન્દ્રીય નાણાંમંત્રી પીયૂષ ગોયલે શુક્રવારનાં રોજ અંતરિમ બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી. જણાવવામાં આવી રહેલ છે કે આ યોજનાથી અસંગઠિત ક્ષેત્રનાં 100 મિલિયન મજૂરો લાભાન્વિત થશે. આમાં ઘરેલૂ કામમાં મદદ કરનારા થેલા પહેરનારા રિક્ષા ચાલક અને ખેત મજૂરો પણ શામેલ છે.

નાણાંકીય વર્ષ 2019-20નાં અંતરિમ બજેટ રજૂ થયેલ પ્રધાનમંત્રી શ્રમ ગોગી માનધાન યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રનાં કર્મીઓને માટે 100 રૂપિયા પ્રતિ માસનાં યોગદાન પર 60 વર્ષની ઉંમર બાદ 3000 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ