બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Good news for farmers The government took this decision to compensate for crop losses
ADVERTISEMENT
રાજ્યની કેબિનેટમાં ખેડૂતો વિશે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠક પછી આર.સી.ફળદુએ કહ્યું કે અતિવૃષ્ટિવાળા વિસ્તારોનો સર્વે કરીશું. પાકનો નાશ અને જમીન ધોવાયાની રાજ્ય સરકારને ફરિયાદો મળી છે.
રાજ્યમાં ખેડૂતોને થયેલા નુકસાનની આજે કેબિનેટમાં ચર્ચા થઈ છે. રાજ્ય સરકારે મહેસૂલ વિભાગને સર્વેની કામગીરી સોંપી દીધી છે. ખેડૂતોને SDRFના નિયમના આધારે વળતર આપવાનું સરકારે નક્કી કર્યું છે.
ADVERTISEMENT
જો જરૂર જણાશે તો રાજ્ય સરકાર નુકસાનીને લઈને વિશેષ પેકેજ જાહેર કરશે. રાજ્ય સરકારે ખેડૂતોને નુકસાની આપવાનો નિર્ણય કર્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તીડ જોવા મળ્યા છે જેનું પણ મોનિટરિંગ થઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.