બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Vaidehi
Last Updated: 05:47 PM, 4 April 2023
કોંગ્રેસથી અલગ થઈને નવી પાર્ટી બનાવનારા ગુલામ નબી આઝાદે ફરી એકવાર PM નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં છે. 50 વર્ષથી વધારે સમય સુધી કોંગ્રેસ સાથે સંકળાયેલા ગુલામ નબી આઝાદે કહ્યું કે નરેન્દ્ર મોદીનો વ્યવહાર એક મહાન રાજનેતા જેવો છે. તેમણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે હું મોદીને ક્રેડિટ આપવા ઈચ્છીશ. મેં તેમની સાથે જે પણ કર્યું છે તેઓ સદ્ભાવપૂર્ણ રહ્યાં છે.
I must give credit to Modi. For what I did to him, he was too generous. As Leader of the Opposition I did not spare him on any issue be it Article 370 or CAA or hijab. I got some Bills totally failed but I must give him the credit that he behaved like a statesman, not taking… pic.twitter.com/0jRFdBC9cy
— ANI (@ANI) April 4, 2023
PM નરેન્દ્ર મોદીનાં કર્યાં વખાણ
વિપક્ષનાં નેતા તરીકે મેં CAA, હિજાબ વિવાદ અને આર્ટિકલ 370 જેવા અનેક મુદાઓ પર મેં તેમના પર ખુબ પ્રહારો કર્યાં હતાં પરંતુ PM મોદીએ ક્યારેય પણ બદલાની ભાવનાથી કામ નથી કર્યું. તેમણે હંમેશા એક રાજનેતા જેવો વ્યવહાર કર્યો છે.
કોંગેસનાં નેતાઓ અંગે કરી આ વાત
ગુલામ નબી આઝાદે કોંગ્રેસનાં અસંતુષ્ટ જી-23 નેતાઓએ ભાજપનું માસ્ક પહેર્યું હોવાનાં આરોપો પર પણ વાત કરી. તેમણે કહ્યું કે જો જી-23 ભાજપનાં પ્રવક્તા તરીકે કામ કરે છે તો શું કોંગ્રેસ તેમને સાંસદ બનાવત? તેમને સાંસદ, મહાસચિવ અને અન્ય પદો પર શા માટે રાખવામાં આવે છે? હું એવો એકલો માણસ છું જેણે અલગ થઈ પાર્ટી બનાવી લીધી છે. અન્ય લોકો તો આજે પણ ત્યાં જ છે. આ પ્રકારનાં આરોપો દુર્ભાવનાથી ભરાયેલા છે. ગુલામ નબી આઝાદે પોતે ભાજપનાં નજીકી હોવાનાં આરોપોને પણ નકાર્યાં છે.
ગુલામ નબી આઝાદ કોંગ્રેસથી થયાં આઝાદ
ગુલામ નબી આઝાદે ગતવર્ષે જ કોંગ્રેસથી સંબંધો તોડ્યાં હતાં અને જમ્મૂ-કાશ્મીરમાં પોતાની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીનું ગઠન કરી લીધું હતું. તેમણે પાર્ટી છોડ્યા દરમિયાન કોંગ્રેસની દુર્ગતિ માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યું હતું. આઝાદે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ 2013માં જે અધ્યાદેશ ફાડ્યું હતું તેનાથી તેમની ઈમેજ ખરાબ થઈ છે. કોંગ્રેસમાં ચાપલૂસોને મહત્વ આપવા અને જૂનાં લોકોને કિનારે કરવાનાં આરોપો પણ ગુલામ નબી આઝાદે લગાવ્યાં હતાં. તેમણે સોનિયા ગાંધીનાં નામ પર લખેલા પોતાના રાજીનામા પત્ર પર આ તમામ આરોપો લખ્યાં હતાં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime