બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ganiben Thakor's take on the youth behind the DJ craze

નિવેદન / DJના ક્રેઝ પાછળ ઘેલા થયેલા યુવાનોને ગેનીબેન ઠાકોરની ટકોર, કહ્યું માતા-પિતાએ સમજાવવા જોઈએ...

Priyakant

Last Updated: 11:24 AM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Geniben Thakor News: DJના કારણે લગ્ન પ્રસંગમાં મતભેદો ઉભા થાય, ગેનીબેન ઠાકોરે કહ્યું કે, માતા-પિતાએ દીકરા-દીકરીઓને સમજાવવાની જરૂર

  • વાવના MLA ગેનીબેન ઠાકોરની ટકોર
  • લગ્નમાં DJ પર પ્રતિબંધ મુકવા ટકોર
  • DJના કારણે લગ્નમાં મતભેદો ઉભા થાય છે

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમસ્ત ઠાકોર સમાજને એક ટકોર કરી છે. વાત જાણે એમ છે કે, ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે, લગ્નમા DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઇએ. તેમણે કહ્યું કે, સમાજના દીકરા-દીકરીઓ DJ વિના લગ્ન નથી કરતા. આ સાથે ઉમેર્યું કે, DJના કારણે લગ્ન પ્રસંગમાં મતભેદો ઉભા થાય છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે, માતા-પિતાએ દીકરા-દીકરીઓને સમજાવવાની જરૂર છે. 

બનાસકાંઠા જિલ્લાના ભાભરના ઈન્દરવા ગામમાં એક કાર્યક્રમમા ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. વિગતો મુજબ વાવના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમાજના દિકરા-દીકરીઓને ટકોર કરતાં કહ્યું છે કે, લગ્નમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે. ગેનીબેને ઉમેર્યું હતું કે, સમાજના દિકરા-દીકરીઓ DJનો મોહ રાખી DJ વગર લગ્ન નથી કરતા. તેમણે કહ્યું કે, DJ વગર લગ્ન ન કરતા દિકરા-દિકરીઓને માતા-પિતાએ સમજાવાના હોય. 

ગેનીબેનની ઠાકોરની સમાજને ટકોર 
વના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, DJ ના કારણે લગ્ન પ્રસંગમાં મતભેદ ઊભા થાય છે. જેને લઈ હવે DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડનારાઓને સમજાવવાના હોય. સમાજના દીકરા-દીકરીઓ DJ વિના લગ્ન નથી કરતા તો હવે સમાજે પણ લગ્નમા DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઇએ. 

ગેનીબેન ઠાકોર (ધારાસભ્ય, વાવ)

ગેનીબેન ઠાકોરે અગાઉ પ્રેમલગ્નના કાયદાની કરી હતી માંગ
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રેમલગ્નના કાયદાની માંગ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે,  'જ્યારે આંતર સમાજમાં લગ્ન થતા હોય ત્યારે સમાજના પંચોની હાજરી પણ ફરજિયાત કરવી જોઇએ. જો પંચ અનુમતિ આપે તો જ આવા આંતરજ્ઞાતિય લગ્નોને બહાલી આપવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે,  2 વર્ષ પહેલા જ લવ મેરેજના કાયદામાં સુધારો કરવા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તાત્કાલિન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો હતો.

બે વર્ષ પહેલા ગેનીબેને લખ્યો હતો પત્ર 

ગેનીબેન ઠાકોરે પત્રમાં લખ્યું હતું કે, સમાજમાં બદનામીની છાપ ધરાવતા લોકો દિકરીઓને લોભ, લાલાચ, પ્રલોભન આપીને તેની નાદાનીનો અને તેની ભોળપણનો લાભ ઉઠાવીને દિકરીઓના માં-બાપ, સગા વહાલા અને સમાજને અંધારામાં રાખી ભગાડી લઈ જઈને કાયદાનો ઉપયોગ કરીને લગ્ન બીજા જિલ્લાઓમાં જઈને કરે છે અને જ્યારે દિકરીના સમાજ અને મા-બાપને પરિવારને આ વાતની ખબર પડે ત્યારે વર્ગવિગ્રહ અને ખુનખરાબી સુધી ફરિયાદો નોંધાય છે. તે પરિવાર ઉપર તેનો સમાજ અને બીજા સગાવહાલા નફરત કરે છે. તે કુટુંબ તમામ રીતે તૂટી જાય છે. તેમનું જીવન અંધકારમય બની જાય છે. બાકીના અન્ય દીકરા-દીકરીઓના સમાજમાં કોઈ સગપણ થતાં નથી. 

લવ મેરેજમાં અમે વિરોધી નથીઃ ગેનીબેન
ભોગ બનનાર દીકરી અંતે પસ્તાય છે અને તે પોતાના પરિવારમાં આવી શકતી નથી અંતે આપઘાત કરે છે.   લવ મેરેજમાં અમે વિરોધી નથી પણ જે દીકરી અન્ય સમાજમાં લગ્ન કરવા માગતી હોય કે સમાજમાં કરવા માગતી હોય તો તેના માતા-પિતા અથવા દીકરીના જેની સાથે લોહીના સંબંધ ધરાવે છે તથા વાલીની સંમતિ અને સાક્ષીમાં તેમની સહી લેવામાં આવે તે હાલના સમયની માંગ છે.  જેથી કોઈ તકલીફ ઊભી ન થાય અને લગ્નની નોંધણી દીકરીના ગામમાં જ થવી જોઈએ અને સાક્ષીમાં ગામના લોકો જ રાખી શકાય તે પણ કાયદામાં સુધારો કરવો જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ