ગાંધીનગરની છત્રાલ ચોકડી પાસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ હત્યા 3 યુવાનોએ મોબાઈલ માટે કરી હોવાનો ખુલાસો થયો છે. વાત એવી છે કે, રીક્ષા ચલાવ્યા બાદ બેકાર બનેલા 3 યુવાનો અવળે માર્ગે વળ્યા હતા અને સફળતાનો શોર્ટ કટ શોધી રહ્યા હતા. આ યુવાનો આ વિસ્તારમાં મોબાઈલની લૂંટ મચાવતા હતા. ત્યારે ગત 10 તારીખે છત્રાલ ચોકડી પાસે આ યુવાનોએ મોબાઇલ માટે હત્યા કરી નાખી હતી. હાલ કલોલના આ ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેમની પાસેથી એક લાખ રૂપિયાની કિંમતના 46 મોબાઇલ મળી આવ્યા છે. આ યુવાનો પરપ્રાંતિયોને જોઈ તેમની પાસે રહેલાં મોબાઈલની લૂંટ કરતાં હતા. પસાર થતી અજાણી વ્યક્તિને છરીના ઘા મારી લૂંટ કરતાં હતા.