બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / ભારત / From today onwards in Gujarat, I will be in these districts again, Gaunseva has fundamentally changed the structure of the examination, what did Kohli think of this?
Vishal Khamar
Last Updated: 12:56 AM, 2 December 2023
આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે. સુરત, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડમાં માવઠું પડી શકે છે. ગુરૂવારે તેમજ શુક્રવારે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં માવઠાની સાથે ઠંડીનું જોર વધશે. જ્યારે રાજ્યનાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.
હવામાન વિભાગે જણાવ્યું કે, ‘આ વાવાઝોડુ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે. 30 નવેમ્બર સુધીમાં બંગાળની ખાડીના દક્ષિણમાં પ્રેશર બની જશે. આ પ્રેશર વધુ ગંભીર બનશે અને આગળ વધશે. આગામી 48 કલાકમાં આ પ્રેશર દક્ષિણ-પશ્ચિમની પાસે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીની ઉપર ચક્રવાતી તોફાન ‘માઈચોંગ’ તબ્દીલ થઈ જશે.’
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 2થી 4 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે જેથી 2થી 16 ડિસેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 8 ડિસેમ્બર સુધી આ ચક્રવાતનું જોર રહેશે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પૂર્વીય વિસ્તારમાં જશે. જેના કારણે ઠંડા પવનો ફૂંકાવાના શરુ થશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ડિસેમ્બર મહીનાની શરુઆતથી ઠંડીનું જોર વધવાનું શરુ થશે.
ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે. વિગતો મુજબ હવે પરીક્ષા પદ્ધતિને પેપરલેસ કરાઇ છે. જેથી હવે ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પરીક્ષા લેવાશે. પ્રાથમિક વિગતો મુજબ એક દિવસ દરમિયાન 3 પેપર કઢાશે. ઉમેદવારોએ કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપવાની રહેશે.
વડોદરાનાં વાઘોડીયા જીઆઈડીસીમાં આવેલ વાયર તેમજ કેબલનું ઉત્પાદન કરતી જાણીતી બનેલી આર.આર.કાબેલ ગ્રુપ પર ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારે આઈટી વિભાગે સુરત, વડોદરા, અમદાવાદ, સેલવાસ, મુંબઈ સહિત 40 થી વધુ જગ્યાએ ઈન્કમટેક્ષ વિભાગની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. મળતી માહિતી મુજબ કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી શક્યતા છે.
રાજ્યમાં પડેલ કમોસમી વરસાદથી થયેલા નુકશાનનો રિપોર્ટ એક સપ્તાહમાં સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. એક સપ્તાહમાં નુકશાનીનો સર્વે પૂર્ણ કરી મુખ્યમંત્ર સમક્ષ મુકાશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો હતો. જે સ્થળે વધુ કમોસમી વરસાદ થયો ત્યાં પ્રાથમિકતાનાં ધોરણે સરવે કરવા આદેશ કર્યો હતો. કમોસમી વરસાદથી થયેલા નુકશાન અંગેની સમીક્ષા બેઠકમાં કૃષિમંત્રીએ આદેશ કર્યો હતો. જેમાં તમામ જીલ્લા કલેક્ટર આ સરવે માટે ટીમ બનાવી ઝડપથી કામગીરી પૂર્ણ કરે તેવો આદેશ કૃષિમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે.
ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વસન સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થાય છે. વાત જાણે એમ છે કે, ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. આ કારણે સાવચેતીના પગલા તરીકે આ રાજ્યોમાં હોસ્પિટલો અને આરોગ્ય કર્મચારીઓને શ્વાસની સમસ્યા સાથે આવતા દર્દીઓ સાથે ઝડપથી વ્યવહાર કરવા સૂચના આપવામાં આવી છે. કર્ણાટક સરકારે પણ તેના રાજ્યના લોકોને મોસમી ફ્લૂ વિશે જાગૃત રહેવા જણાવ્યું છે. ઉપરાંત મોસમી ફ્લૂના લક્ષણો, જોખમી પરિબળો અને શું કરવું અને શું ન કરવું તેની યાદી બહાર પાડવામાં આવી છે.
રાજ્યમાં અકસ્માતનાં બનાવોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે બુધવારે રાજ્યમાં એક જ દિવસમાં 5 અકસ્માતના બનાવ સામે આવ્યા છે. જેમાં 3 લોકાના અકસ્માતમાં મોત થયા હતા. આણંદમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે સુરતમાં પણ કોલેજ જઈ રહેલ યુવતીનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું.
મણિપુરના યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (યુએનએલએફ) એ નવી દિલ્હીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. શાંતિ મંત્રણા પર હસ્તાંક્ષર કરીને યુએનએલએફે હથિયાર હેઠા મૂક્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આ વાતનું એલાન કર્યું હતું. શાહે એક પોસ્ટમાં લખ્યું હતું કે, "એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પ્રાપ્ત થયું છે!! પૂર્વોત્તરમાં કાયમી શાંતિ સ્થાપવાના મોદી સરકારના અવિરત પ્રયત્નોમાં એક નવો અધ્યાય ઉમેરવામાં આવ્યો છે. યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (યુએનએલએફ) એ આજે નવી દિલ્હીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ICC વર્લ્ડ કપ 2023 પૂર્ણ થવાની સાથે ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. રાહુલ દ્રવિડ વર્ષ 2021માં ભારતીય ટીમના કોચ બન્યા હતા, 2 વર્ષના કાર્યકાળ પછી તેમનો કરાર પૂર્ણ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ભારતને વહેલી તકે મુખ્ય કોચની જરૂર છે. હાલમાં પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વી. વી. એસ લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ભારતના કોચ છે, પરંતુ તેઓ કાયમી કોચ નથી. BCCIએ ભારતીય ટીમના કોચ બાબતે મહત્ત્વપૂર્ણ અપડેટ આપી છે. ભારતે આ અનુભવી ખેલાડીને ભારતીય ટીમના કોચ બનવાની ઓફર આપી છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી એક વખત ફરી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આમિર ખાનની ફિલ્મ લગાન સહિત ઘણી બોલિવુડ ફિલ્મોમાં મહત્વનું યોગદાન આપનાર સિનેમેટોગ્રાફર ગુરૂરાજ જોઈસનું નિધન થયું છે. 27 નવેમ્બરે બેંગ્લોરમાં હાર્ટ એટેક આવવાના કારણે તેમનું નિધન થયું છે. જણાવી દઈએ કે ગુરૂરાજ ફક્ત 53 વર્ષના હતા અને તેમના પરિવારમાં પત્ની અને એક બાળકી છે. જોઈસે બોલિવુડની ઘણી ફિલ્મોમાં શૂટિંગ કર્યું છે.
વિરાટ કોહલીએ બીસીસીઆઈને કહ્યું કે, તેને વનડે અને ટી20 ફોર્મેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેકની જરૂર છે. એટલે કે તે વન ડે અને ટી-20 ફોર્મેટમાં રમવા માંગતો નથી. બીસીસીઆઇના સૂત્રોએ જણાવ્યું હતું કે વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આ કારણે તે વન-ડે અને ટી-20 ફોર્મેટમાં રમવા માંગતો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલીએ બીસીસીઆઈને કહ્યું કે તે સીમિત ઓવરોના ફોર્મેટ માટે ઉપલબ્ધ નથી. તેમજ તે કેટલો સમય નહીં રમે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કોહલીના આ સમાચાર જાણીને ફેન્સ પણ ચિંતાતુર થયાં હતા અને ટ્વિટર પર ચિંતા વ્યક્ત કરતા લાગ્યાં છે. કોહલી ન રમે તે ફેન્સને મંજૂર નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime