બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / for happiness and prosperity according to vastu shastra use hibiscus flower in this way

ઉપાય / વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ રીતે કરો જાસુદના ફૂલનો ઉપયોગ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ, નહીં રહે પૈસાની તંગી

Arohi

Last Updated: 06:40 PM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્રમાં જાસુદના ફૂલોનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે.

  • જાસુદના ફૂલ હોય છે ખૂબ જ સુંદર
  • હનુમાનજીને લાલ જાસુદના ફૂલ કરો અર્પિત
  • સૂર્ય દેવને કરો જાસુદ અર્પણ

જાસુદના ફૂલ ખૂબ જ સુંદર હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં આ ફૂલોનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ ફૂલ જીવનની ઘણા મુશ્કેલીઓને દૂર કરવાનું કામ કરે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે તમે જાસુદના ફૂલનો ઉપયોગ કરી શકો છો.

હનુમાનજીને લાલ જાસુદના ફૂલ અર્પિત કરો
મંગળવારના દિવસે હનુમાનજીને લાલ જાસુદના ફૂલ અર્પિત કરો. આમ કરવું શુભ માનવામાં આવે છે. શુક્રવાર દેવી લક્ષ્મીને જાસુદના ફૂલ અર્પિત કરો. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. 

સૂર્ય દેવને કરો જાસુદ અર્પણ
જાસુદના ફૂલ સૂર્ય દેવને ખૂબ પસંદ છે. જાસુદના ફૂલ વગર સૂર્ય દેવની પૂજા અધૂર માનવામાં આવે છે. નિયમિત રીતે પાણીમાં જાસુદના ફૂલ નાખીને સૂર્ય દેવને અર્પિત કરો. તેનાથી તમને ઉર્જાવાન રહેવામાં મદદ મળશે. 

સ્ટડી ટેબલ પર મુકો જાસુદ 
સૂર્ય દોષને દૂર કરવા માટે જાસુદ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘરની પૂર્વ દિશામાં જાસુદના ફૂલનો છોડ લગાવો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે. નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સ્ટડી ટેબર પર જાસુદનું ફૂલ મુકવાથી બાળકનું ભણવામાં મન લાગે છે. 

મંગળ દોષ કરે દૂર 
મંગળ દોષ દૂર કરવા માટે પણ જાસુદના ફૂલ ખૂબ જ ફાયદાકારક છે. મંગળનો રંગ પણ આ ફૂલની જેમ જ લાલ હોય છે. ઘરમાં જાસુદના ફૂલનો છોડ લગાવો. તેનાથી મંગળ દોષ દૂર થાય છે. આ જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Hibiscus Flower Prosperity Vastu Shastra જાસુદના ફૂલ વાસ્તુ શાસ્ત્ર Vastu Shastra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ