બ્રેકિંગ ન્યુઝ
CM ઠાકરેએ કહ્યું કે અમારી પાસે પુરતી માત્રામાં આરોગ્ય સુવિધાઓ છે, પરંતુ જે લોકો 8 મહીનાથી આ કામમાં છે, તેમના પર પણ દબાણ ઓછુ કરવું જોઇએ. વેક્સીન આપણા હાથમાં આવી નથી. મહારાષ્ટ્રમાં 12 કરોડ લોકો છે. તેની બે ડોઝ જોઇએ એટલે કે 24 કરોડ ડોઝ જોઇએ.
ADVERTISEMENT
CM ઠાકરેએ કહ્યું કે તેને લોકો સુધી પહોંચાડવામાં કેટલો સમય લાગશે, આ સ્પષ્ટ નથી. પરંતુ તેનું સમાધાન સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક પહેરવું છે. હાલમાં ઘણા લોકો હજુ પણ માસ્ક પહેરી રહ્યાં નથી જે એક ચિંતાનો વિષય છે.
We have opened all religious places in the state but my appeal to the public is not to crowd them: Maharashtra CM Uddhav Thackeray pic.twitter.com/rS2KbL5zhG
— ANI (@ANI) November 22, 2020
ADVERTISEMENT
કોરોનાકાળમાં હાલ રાજકારણ ન થવું જોઇએ. જે એમ કહી રહ્યાં છે કે આ ખોલો, પેલુ ખોલો, શું તમે જવાબદારી લેશો? કેટલાંક લોકો મને રાત્રિ કર્ફ્યું લગાવાનો સુચન કરી રહ્યાં છે, પરંતુ મને લાગે છે કે દરેક વસ્તુ માટે ઓર્ડરની જરૂરિયાત ન હોય. જો જરૂરિયાત ન હોય તો બહાર જવાથી બચો. CM ઠાકરેએ લોકોને અપીલ કરી કે ભીડથી બચો, બહાર જરૂરિયાત પડવા પર જ જવુ અને માસ્ક જરુરથી લગાવવું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.