બ્રેકિંગ ન્યુઝ
કોરોના વાયરસ મહામારીને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા લૉકડાઉનના કારણે તમામ સેક્ટર્સની સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. રિયલ એસ્ટેટ સેક્ટર પણ એનાથી દૂર નથી. પહેલીથી સુસ્તીનો સામનો કરી રહેલ આ સેક્ટરના સમક્ષ કોરોના મહામારી કોઇ વજ્રપાતથી ઓછી નથી. કોરોના મહામારી પહેલા જ ફ્લેટોની કિંમતો 30 ટકા ઘટી ગઇ હતી, એવામાં કિંમતો પર લૉકડાઉનની મોટી અસર થવા જઇ રહી છે.
ADVERTISEMENT
બજારમાં ભારે લિક્વિડિટી
લૉકડાઉનના કારણે અર્થવ્યવસ્થાને થયેલા ભારે નુકસાનથી બહાર આવવા માટે કેન્દ્ર સરકાર સિસ્ટમમાં ભારે ભરકમ લિક્વિડિટીની વ્યવસ્થા કરવા જઇ રહી છે. વાસ્તવમાં, સારી આર્થિક ગતિવિધિઓ લૉકડાઉનના કારણે ઠપ પડી છે, જેમાં જીવ ફૂંકવા માટે સરકાર લોન વહેંચવા માટે પોતાનો ખજાનો ખોલી ચુકી છે. ભલે લોન લેનાર લોકો ના મળે, પરંતુ બેંકોની પાસે લોનની કમી થશે નહીં.
વ્યાજદરમાં થશે ઘટાડો
વધારેમાં વધારે લોન વહેંચવા માટે બેંક સ્વાભાવિક છે કે વ્યાજ દર ઓછો રાખશે. વ્યાજ દર ઓછો થવાથી વધારેમાં વધારે લોકો લોન લેાના પ્રત્યે આકર્ષિત થશે અને એનાથી સ્વાભાવિક છે કે જેમને પોતાનું મકાન ખરીદવાનું છે, એ પણ લોન લેવાની તરફ વલણ કરશે.
ADVERTISEMENT
ફ્લેટ વેચવાનું પ્રેશર
છેલ્લા દોઢ વર્ષથી અર્થવ્યવસ્થામાં સુસ્તીનો આલમ છે. એ કારણથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં વેચાયા ના હોય એવા ફ્લેટોની સંખ્યા ખૂબ જ વધી ગઇ છે. હવે બિલ્ડર્સ પર એમની વેચવાનું દબાણ વધી રહ્યું છે. જો લૉકડાઉન બાદ બેંક હોમ લોનમાં છૂટ આપવામાં આવશે તો સ્વાભાવિક છે કે બિલ્ડર્સ પણ એનો ફાયદો ઊઠાવવા માંગશે.
મિડલ ક્લાસને છૂટની આશા
અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકાર લૉકડાઉન બાદ મિડ્લ ક્લાસને ઘણા પ્રકારની છૂટ ઑફર કરી શકે છે. આ છૂટ લોન સહિત ઘણા અન્ય રૂપોમાં થઇ શકે છે. એવામાં લોકો પોતાના ઘરનું સપનું સાકાર કરવા માટે સરકારની ઑફરને હાથોહાથ લેશે.
ADVERTISEMENT
બિલ્ડર્સ પર સરકારનું દબાણ
ઇકૉનોમીમાં તેજી લાવવા માટે સરકાર રિયલ એસ્ટેટ કંપનીઓ પર મકાનોની કિંમતો થોડી ઓછી કરવાનું દબાણ બનાવી શકે છે. કારણ કે આવું થશે તો માંગણી વધી જશે અને લોકો ફ્લેટ ખરીદવાનો મૂડ બનાવશે. એનાથી અર્થવ્યવસ્થાને પણ ફાયદો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.