બ્રેકિંગ ન્યુઝ
VTV / Finance minister Nirmala Sitaraman defended imposing fine on not linking adhaar and Pan
ADVERTISEMENT
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે પાનકાર્ડ સાથે આધારને લિંક કરવામાં મોડું થતાં લાગતાં દંડ અંગે વાત કરી હતી. આધાર સાથે પાનનું લિંકિંગ 31 માર્ચ 2022 સુધી મફત હતું ત્યારબાદ 1 એપ્રિલ 2022થી તેના પર 500રૂપિયાનાં દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું જેને જૂલાઈ મહિનામાં વધારીને 1000 કરી દેવામાં આવ્યું .
દંડમાં થઈ શકે વધારો
હાલમાં સ્થિતિ એવી છે કે જો જૂન 2023 સુધી આધાર અને પાનકાર્ડને લિંક ન કરવામાં આવ્યું તો તે નિષ્ક્રિય થઈ જશે. ગુરુવારે પ્રેસ કોન્ફેરેન્સને સંબોધિત કરતાં નાણામંત્રીએ કહ્યું કે આધાર સાથે પાનકાર્ડને લિંક કરવા માટે પૂર્વે ઘણો સમય આપવામાં આવ્યો હતો. આધારનું પાન સાથેનું લિંકિંગ અત્યાર સુધી થઈ જવું જોઈતું હતું. જે લોકોએ અત્યારસુધી એવું કરાવ્યું નથી તેમણે તાત્કાલિક કરાવી લેવું જોઈએ. જો વર્તમાન નક્કી કરેલી સમયનસીમા સમાપ્ત થઈ જાય છે તો દંડમાં હજુ વધારો કરવામાં આવશે.
ADVERTISEMENT
Finance Minister Sitharaman defends imposing fine for not linking PAN with Aadhaar
— ANI Digital (@ani_digital) April 6, 2023
Read @ANI Story | https://t.co/Q8Cqu192lg#NirmalaSitaraman #PAN #Aadhaar pic.twitter.com/LCjknkD7J4
ADVERTISEMENT
પાનકાર્ડ થઈ જશે નિષ્ક્રિય
નાણામંત્રાલય તરફથી ગત 28 માર્ટનાં જાહેર કરવામાં આવેલ એક નિવેદન અનુસાર TDS અને TCS સાથે સંકળાયેલી મુશ્કેલીઓથી બચવા માટે દરેક વ્યક્તિએ પોતાના આધારને પાનકાર્ડ સાથે કોઈપણ સ્થિતિમાં લિંક કરાવી લેવું જોઈએ. જો લોકોએ એવું મ કરાવ્યું તો તેમનો પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તેમને TDS TCS ક્લેમ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.