બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિવાદ GETCO-PGVCLનો, અને પરેશાન ખેડૂતો, મચાવ્યો હોબાળો
Last Updated: 04:01 PM, 12 June 2026
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તારમાં વીજ પુરવઠાની સમસ્યાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. GETCO અને PGVCL વચ્ચેના સંકલનના અભાવે ખેડૂતોને વારંવાર લો-વોલ્ટેજ અને વીજ કાપનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
GETCOની ભૂલના કારણે લો-વોલ્ટેજ હોવાનો આરોપ
ખેડૂતોના જણાવ્યા અનુસાર, GETCOની તકનીકી ખામીઓના કારણે વિસ્તારમાં લાંબા સમયથી લો-વોલ્ટેજની સમસ્યા યથાવત છે. પરિણામે ખેતી માટે જરૂરી મોટરો અને અન્ય સાધનો યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. બીજી તરફ, વારંવાર વીજ પુરવઠો ખોરવાતા પાક અને સિંચાઈની કામગીરી પર પણ માઠી અસર પડી રહી છે.
ADVERTISEMENT

ખેડૂતોમાં અસંતોષ વધ્યો
ADVERTISEMENT
સમસ્યાના ઉકેલ માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં અસંતોષ વધ્યો હતો. ખેડૂતોનો આરોપ છે કે સમસ્યાનું સમાધાન લાવવાને બદલે GETCO અને PGVCLની કચેરીઓ એકબીજા પર જવાબદારી ઢોળી રહી છે, જેના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે.

ADVERTISEMENT
ખેડૂતો પાટડી PGVCL કચેરીએ પહોંચ્યા
વારંવારની સમસ્યાથી કંટાળેલા ખેડૂતો મોટી સંખ્યામાં પાટડી PGVCL કચેરીએ પહોંચ્યા હતા અને હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના વિરોધ બાદ PGVCLના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા.
ADVERTISEMENT

કોરા કાગળ પર સહી કરીને PGVCL અધિકારીએ વોલ્ટેજ વધારવા આપી સૂચના
ADVERTISEMENT
વિરોધ દરમિયાન PGVCLના એક અધિકારીએ ખેડૂતો સમક્ષ કોરા કાગળ પર સહી કરીને વોલ્ટેજ વધારવા માટે જરૂરી સૂચનાઓ આપવાનો દાવો કર્યો હતો. અધિકારીઓએ ટૂંક સમયમાં સમસ્યાના નિરાકરણ માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી પણ આપી હતી.
આ પણ વાંચોઃ નગરપાલિકામાં નોકરી મેળવવાની તક હાથમાંથી જવા ન દેતા, વધુ વિગત વાંચવા ક્લિક કરો
ખેડૂતો હવે વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગો પાસેથી ઝડપી અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે, જેથી ખેતી કામગીરીને અસર કરતી વીજ સમસ્યાઓનો અંત આવી શકે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.