બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Evacuation of 50 thousand people, CM Bhupendra Patel held a meeting, NDRF-SDRF ready: Know what time the cyclone will hit Gujarat

બિપોરજોય / 50 હજાર લોકોનું સ્થળાંતર, CM ભૂપેન્દ્ર પટેલે કરી મીટિંગ, NDRF-SDRF તૈયાર: જાણો કેટલા વાગ્યે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું

Vishal Khamar

Last Updated: 04:35 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાને પગલે વહીવટી તંત્ર એલર્ટ છે. ત્યારે રાહત કમિશ્નર આલોક પંડ્યા દ્વારા વાવાઝોડાને લઈને નિવેદન આપ્યું છે કે વાવાઝોડાને લઈ મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી છે. તેમજ અત્યારે વાવાઝોડું કચ્છથી 290 કિમી દૂર છે અને 15 જૂનનાં રોજ સાંજે લેન્ડફોલ થવાની શક્યતા છે.

  • વાવાઝોડા અંગે રાહત કમિશનરનું નિવેદન
  • "અત્યારે વાવાઝોડું કચ્છથી 290 કિમી દૂર છે"
  • "આવતીકાલે સાંજે વાવાઝોડું લેન્ડફોલ થશે"

બિપોરજોય વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર દ્વારા દરિયા કિનારાનાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. તેમજ લોકોને સુરક્ષીત જગ્યાએ તેઓને ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની રહેવાની, જમવાની સુવિધા કરવામાં આવી છે. તેમજ બિપોરજોય વાવાઝોડાને લઈને રાહત કમિશ્નર દ્વારા નિવેદન આપ્યું છે કે, વાવાઝોડાને લઈ મુખ્યંત્રીએ સમીક્ષા બેઠક કરી હતી. તેમજ  હાલ વાવાઝોડું કચ્છથી 290 કિમી દૂર છે.

વીજ પુરવઠા માટે 200 ટીમો અલર્ટ

15 જૂનનાં સાંજે 5 વાગ્યે વાવાઝોડું લેન્ડફોલ થવાની શક્યતા છે. ત્યારે વાવાઝોડાનાં કારણે માંડવી અને દ્વારકામાં ભારે વરસાદ થશે. 55 હજાર લોકોનું સ્થળાંતર કરવાની જરૂર હતી. ત્યારે અત્યાર સુધીમાં 50 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.  તેમજ આજે સાંજ સુધીમાં બાકીનાં તમામ લોકોનું સ્થળાંતર કરાશે.  વાવાઝોડાને પગલે કેટલાક ગામોમાં વીજળી કપાઈ હતી. જ્યાં વીજળી કપાઈ હતી ત્યાં તમામ ગામમાં તાત્કાલિક ટીમ મોકલવામાં આવી છે. વીજ પુરવઠા માટે 200 ટીમો અલર્ટ રખાઈ છે. અત્યારે દ્વારકામાં સબ સ્ટેશન ડેમેજ થયું છે.  વાવાઝોડું જે જીલ્લામાં અસર કરશે ત્યાં NDRF-SDRF ની ટીમો પહોચી ગઈ છે.

આલોક પાંડે (રાહત કમિશનર, ગાંધીનગર)

નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

આ બાબતે રાહત કમિશ્નનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે,  આજે મુખ્યમંત્રી દ્વારા ઈમરજન્સી સેન્ટરમાં આવીને તમામ ડિપાર્ટમેન્ટ તેમજ જીલ્લા કલેક્ટરો સાથે વાત કરી હતી. 15 તારીખે સાંજે કચ્છમાં વાવાઝોડું લેન્ડફોલ થવાની શક્યતા છે.  ત્યારે પવનની ગતિ 100 કિમી થી લઈને 140 કિમી રહેવાની સંભાવનાં છે.  અત્યારે તમામ ડિપાર્ટમેન્ટ પોત પોતાની રીતે ટીમો બનાવીને જ્યાં નુકશાન થવાની શક્યતા છે.  હાલ અમુક જીલ્લાઓમાં વરસાદ પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે.  વાવાઝોડાને પગલે 55 હજાર લોકોને સ્થળાંતર કરાવવામાં આવશે. જે લોકોનું સ્થળાંતર કરાવવામાં આવશે તેમાં વૃદ્ધો, સગર્ભા બહેનોનો સમાવેશ થાય છે.  હાલ સુધી 46 હજાર લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.  કચ્છમાં 21 હજાર લોકોનુ સ્થળાંતર કરાવવાનું હતું. જેની સામે 18 હજાર લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ