બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
તેનો અર્થ થયો કે કોઈ કર્મચારી નોકરી બદલે છે અથવા એક કંપનીથી બીજી કંપનીમાં જોઈન કરે છે તો પીએફ ખાતા ટ્રાન્સફર કરવાનું ઝંઝટ નહીં રહે. આ કામ આપમેળે જ થઇ જશે. સેન્ટ્રલાઇઝ સિસ્ટમની મદદથી કર્મચારીનું ખાતુ મર્જ થશે. હજુ સુધી આ નિયમ છે કે જ્યારે કોઈ કર્મચારી એક કંપની છોડીને બીજી કંપનીમાં જાય છે તો તે PFના રૂપિયા ઉપાડી લે છે અથવા તો બીજી કંપનીમાં ટ્રાન્સફર કરી દે છે. હજુ સુધી ટ્રાન્સફર કરાવવાનું આ કામ આપમેળ થઇ જશે.
હાલ શું છે નિયમ?
આ માટે જૂની અને નવી કંપનીમાં કેટલાક કાગળ ઔપચારિકતા હોય છે જેને પૂરી કરવાની હોય છે. આ પેપર કાર્યવાહીને લઇને કેટલાક લોકો જૂની કંપનીઓમાં પીએફના પૈસા છોડી દે છે. નવી કંપનીમાં પહેલાના UAN પર જ બીજા PF ખાતા બની જાય છે. પરંતુ આ PF ખાતામાં પુરૂ બેલેન્સ નથી દેખાતું કારણ કે કર્મચારી જૂના ખાતાને નવાથી મર્જ નહોતા થઇ શકતા. હવે આ ઝંઝટ ખતમ થઇ જશે.
ADVERTISEMENT
શું થશે ફેરફાર?
જોકે, સેન્ટ્રલાઇઝ સિસ્ટમ પીએફ ખાતાધારકોના અલગ-અલગ એકાઉન્ટને મર્જ કરી એક એકાઉન્ટ બનાવવામાં આવશે. આ ખાતાઓને મર્જ કરવાની ઝંઝટ ખતમ થઇ જશે અને કર્મચારી કેટલાક પ્રકારના કાગળ કાર્યવાહીથી બચી શકશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં થયેલા EPFOની 229ની બોર્ડ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. EPFOની કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડની બેઠકમાં કેટલાક મુદ્દાઓ પર વિચાર ચાલી રહ્યો છે. જેમાં પીએફનું વ્યાજ દર વધારવાને લઇને પેન્શનરો માટે ન્યૂનતમ પેન્શન રકમ 1 હજાર રૂપિયાથી વધારીને 3000 રૂપિયા કરવાની સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.