બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Employees of government offices will get 10 days to leave if they have corona positive
ADVERTISEMENT
કોરોનાગ્રસ્ત સરકારી કચેરીના કર્મીઓ માટે મુખ્યમંત્રીનો નિર્ણય કર્યો છે. 10 દિવસની રજા કોરોનાગ્રસ્ત કર્મચારીને મળશે. રજા જમા નહીં હોય તો પણ કર્મચારીઓને રજા મળશે. 10 દિવસની રજાના પગારની પણ નિયમિત ચુકવણી થશે. સરકારી કર્મી, ફિક્સ પગાર કર્મી અને કરાર આધારિત કર્મીને લાભ મળશે.
ADVERTISEMENT
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે આંકડા પ્રમાણે, રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2360 કેસ નોંધાયા છે અને 2004 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,90,569 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો 9 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.

ADVERTISEMENT
અત્યાર સુધીમાં 4519 દર્દીઓના થયાં મોત
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4519 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ મૃત્યુનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે.
ADVERTISEMENT
રેકોર્ડ બ્રેક 2360 કેસ નોંધાતા હડકંપ
આપને જણાવી દઇએ કે, છેલ્લા 5 દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. કારણ કે, દરરોજ 2000થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે રેકોર્ડ બ્રેક 2360 કેસ આવતા હડકંપ મચી જવા પામ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.