બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / elaichi is helpful in curing cancer

હેલ્થ / કેન્સરમાંથી પણ બચાવી શકે છે કિચનમાં પડેલી આ એક ચીજ, વૈજ્ઞાનિકોએ પણ કર્યો સ્વીકાર

Jaydeep Shah

Last Updated: 01:47 PM, 10 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલચીનાં સેવનથી ખતરનાક એવા ટ્રિપલ નેગેટીવ બ્રેસ્ટ કેન્સરનો ખતરો ટાળી શકાય છે અને તેની સારવાર પણ કરી શકાય છે.

  • 40 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રીઓમાં ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરનો ખતરો 
  • નોર્મલ બ્રેસ્ટ કેન્સર કરતા ઘણું અલગ 
  • એલચીમાં છે કેન્સરનો ઈલાજ 

​​​​​​​ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર

તમે સ્ત્રીઓમાં એક રોગ બ્રેસ્ટ કેન્સર વિશે ઘણું સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર વિશે સાંભળ્યું છે? સ્ત્રીઓમાં જોવા મળતા કોઈપણ પ્રકારના બ્રેસ્ટ કેન્સરમાં 10 થી 15 ટકા કેસ ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરના હોય છે. ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર એ સામાન્ય બ્રેસ્ટ કેન્સરનું ઘાતક સ્વરૂપ છે. જ્યારે કેન્સરના કોષોમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જોવા મળતું નથી અને આ કોષો પ્રોટીન બનાવી શકતા નથી અથવા જેને HER2 કહેવાય છે, ત્યારે આ કેન્સરનો સામનો કરવો પડે છે. 

40 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરનું જોખમ રહેલું છે. આ સિવાય જેમના શરીરમાં બીઆરસીએ 1 મ્યુટેશન છે તેમને અન્ય કરતા વધુ તેનો સામનો કરવો પડે છે. આપણા શરીરમાં BRCA1 અને BRCA2 બે પ્રકારના જીન્સ હોય છે. જ્યારે આ જીન્સ કોઈપણ કારણસર યોગ્ય રીતે કામ કરી શકે નહી, તો આ સ્થિતિમાં ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધી જાય છે. 

ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર અન્ય બ્રેસ્ટ કેન્સરથી ઘણું અલગ છે. તે ઝડપથી વધે છે અને ફેલાય છે. આમાં સારવારના વિકલ્પો નહિવત હોય છે. આ કેન્સરથી પીડિત મહિલાઓની તબિયત સમય સાથે વધુ બગડવા લાગે છે.

​​​​​​​

ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરનાં લક્ષણો 

  • બ્રેસ્ટની આસપાસની સ્કીન ટાઈટ થવી 
  • બ્રેસ્ટની આસપાસ સ્કીનનો કલર બદલાવો 
  • અન્ડરઆર્મ્સની આસપાસ ગાંઠો બનવી 
  • નિપ્પલનાં કલરમાં બદલાવ 
  • નિપ્પલમાંથી પ્રવાહી પદાર્થ નીકળવો 
  • બ્રેસ્ટની આસપાસ રેડનેસ 

ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરનાં કારણો 

  • બ્લડ રિલેશન 
  • BRCA1 અને BRCA2 જીન્સનું બરાબર કામ ન કરવું 
  • વજન વધારે હોવું 
  • મેનોપોઝમાં સમય લાગવો 
  • રેડીએશનનાં સંપર્કમાં આવવું 
  • વધારે માત્રામાં દારુ પીવો 

ફ્લોરિડાનાં એ એંડ એમ વિશ્વવિધ્યાલયનાં અસીસ્ટંટ પ્રોફેસર અને રિસર્ચ એનાલિસ્ટ ડૉ. પેટ્રીસીયા મેન્ડોન્કાનું કહેવું છે કે ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેંસરથી બચવા માટે કાર્ડામોનિન ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે. ડૉ. પેટ્રીસીયા અનુસાર, કાર્ડામોનિન એક એવું નેચરલ કમ્પાઉન્ડ છે, જે આ કેન્સરનાં સારવારમાં ઘણું અસરકારક સાબિત થઇ શકે છે. આ એલચી અને આદુંમાં મળતું એક તત્વ છે. 

ડૉ. પેટ્રીસીયાનું કહેવું છે કે કાર્ડામોનિનમાં એંટીકેન્સર કમ્પાઉન્ડ હોય છે, જેનો ઉપયોગ ટ્રિપલ નેગેટીવ બ્રેસ્ટ કેન્સરને અટકાવવા માટે કરવામાં આવે છે. મેન્ડોન્કાએ અમેરિકન સોસાયટી ફોર ઇન્વેસ્ટીગેટિવ પેથોલોજીની વાર્ષિક બેઠકમાં આ રિસર્ચ સાથે જોડાયેલ રિપોર્ટ જાહેર કર્યો હતો. 

ડો. મેન્ડોન્કાએ જણાવ્યું કે, એલચીમાં કેન્સર વિરોધી ગુણો જોવા મળે છે, જે બ્રેસ્ટ, પ્રોસ્ટેટ અને કોલોરેક્ટલ કેન્સરની સારવારમાં મદદ કરી શકે છે. આ સાથે, તે સોજો અને હૃદય સંબંધિત રોગોની સારવાર માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મેન્ડોન્કાએ કહ્યું કે ભારતીય ભોજનમાં વર્ષોથી એલચીનો ઉપયોગ કરવામાં આવે છે અને સાથે જ તે મેડિકલ સ્ટોર્સમાં સપ્લીમેન્ટ તરીકે પણ વેચાય છે. તેમણે કહ્યું કે અમે PD-1 અને PD-L1/Nrf2 એક્સિસ પર તેના પ્રભાવોની તપાસ કરવાનો પણ નિર્ણય લીધો છે. 

શું છે PD - 1 અને PD -L1? 
શરીરમાં કેન્સર કોશોનાં રિસ્પોન્સમાં બે ચેકપોઈન્ટ પ્રોટીન મહત્વની ભૂમિકા નિભાવે છે. 

PD - 1 
PD - 1ને પ્રોગ્રામ્ડ સેલ ડેથ પ્રોટીન 1 કહેવામાં આવે છે. આ ટી કોશિકાઓમાં હાજર એક પ્રોટીન હોય છે. આ ઈમ્યૂન સેલ્સ છે, જે શરીરને સંક્રમણથી બચાવે છે અને કેન્સર કોશિકાઓને વિકસિત થાવાથ અટકાવે છે. 

PD -L1
PD -L1ને સેલ ડેથ લીગેંડ 1 કહેવામાં આવે છે. આ એક પ્રોટીન છે જે એન્ટીજન - પ્રોજેન્ટિંગ કોશિકાઓની સાથે સાથે અમુક કેન્સર સેલ્સમાં મોટી માત્રામાં મળે છે. 

જ્યારે PD-1 અને PD-L1 સાથે જોડાય છે, ત્યારે તે 'બ્રેક' તરીકે કામ કરે છે જે T કોષોને અન્ય કોષો પર હુમલો કરતા અટકાવે છે. આમ કરતી વખતે, તે ટી સેલ્સને કેન્સરના કોષોને મારવાથી પણ અટકાવે છે. આવી સ્થિતિમાં, જો PD-1 અને PD-L1 ને એકસાથે જોડાતાં અટકાવવામાં આવે, તો કેન્સરના કોષોને મારવાની ટી કોશિકાઓની ક્ષમતા વધે છે.

ડૉ. મેન્ડોન્કાએ કહ્યું કે એલચીનો ઉપયોગ સદીઓથી મસાલા તરીકે કરવામાં આવે છે અને હવે તે સપ્લીમેન્ટ્સના રૂપમાં પણ ખાવામાં આવે છે. એલચી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમણે કહ્યું કે અમારી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે એલચીમાં ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરની સારવાર કરવાની ક્ષમતા છે.

એલચીનાં ફાયદાઓ 

બ્લડ પ્રેશરનાં જોખમને ઓછું કરે છે 


હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે એલચી ઘણી ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત, એલચીમાં એંટીઓક્સીડંટ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ છે. 

કેન્સર ફાઈટિંગ કમ્પાઉન્ડ્સ 


એલચીમાં હાજર કમ્પાઉન્ડ્સ કેન્સર કોશિકાઓ સાથે લડવામાં મદદ કરી શકે છે. ઉંદરોમાં થયેલ શોધોથી જાણવા મળ્યું છે કે એલચી અમુક એન્ઝાઈમોની એક્ટીવીટી વધારી શકે છે, જે કેન્સર સાથે લડવામાં મદદ કરે છે. એલચીનું સેવન કરવાથી ટ્યુમર પર અટેક કરવાવાળા નેચરલ કીલર સેલ્સની ક્ષમતા વધે છે. 

ડાઈજેશન માટે ફાયદાકારક 


ડાઈજેશન માટે વર્ષોથી એલચીનું સેવન કરવામાં આવે છે. એલચીનાં સેવનથી બેચેની, ઉલ્ટી જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે. આ પેટ સંબંધિત સમસ્યાઓથી છૂટકારો અપાવવામાં પણ મદદ કરે છે. 

ઓરલ હેલ્થ 


એલચીનું સેવન માઉથ ફ્રેશનર તરીકે પણ કરવામાં આવે છે. એલચીનું સેવન મોંમાં થતા બેક્ટેરિયાને મારવામાં પણ મદદ કરે છે, જેને કારણે મોંમાંથી દુર્ગંધ આવે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Cancer Gujarati News Health કેન્સર હેલ્થ Health
Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ