બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / eknath shinde tasked to raj thackeray about maharashtra political crisis supreme court will give verdict

મહારાષ્ટ્ર / રાજકીય મહાસંગ્રામ સુપ્રીમમાં પહોંચ્યો, આજે થશે સુનાવણી, શિંદે અને રાજ ઠાકરે વચ્ચે ફોન પર બબ્બે વખત થઈ વાતચીત

Mayur

Last Updated: 09:57 AM, 27 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રનો રાજકીય મહાસંગ્રામ હવે Supreme Court સુધી પહોંચી ગયો છે. તો બીજી તરફ મનસેનાં રાજ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે સમગ્ર મામલે બે વખત ફોન પર વાતચીત પણ થઈ હતી.

  • મહારાષ્ટ્રનું રાજકીય સંકટ હવે સુપ્રીમમાં 
  • એકનાથ શિંદેએ રાજ ઠાકરે સાથે ફોન પર કરી વાતચીત 
  • આદિત્ય ઠાકરેએ શાહરુખનો ડાયલોગ યાદ કર્યો 

આજે સુપ્રીમમાં સુનાવણી

મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયું છે. આજે મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થશે. 

શિંદે જૂથે સુપ્રીમકોર્ટમાં બે અરજી દાખલ કરી છે. આજે સવારે 10.30 વાગ્યે જસ્ટિસ સૂર્યકાન્તની બેંચ સુનાવણી કરશે. અભિષેક મનુ સિંઘવી ઉદ્ધવ ઠાકરે વતી સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરશે તો સામે હરીશ સાલ્વે શિંદે જૂથ વતી સુપ્રીમકોર્ટમાં પોતાની દલીલ રજૂ કરશે.

શિંદે જૂથે સુપ્રીમકોર્ટમાં બે અરજી દાખલ કરી છે. એક તો શિંદે જૂથે 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની ડેપ્યુટી સ્પીકરની નોટિસ વિરુદ્ધ રવિવારે અરજી કરી છે. અને બીજી શિંદે જૂથે એકનાથ શિંદેનું ધારાસભ્ય દળના નેતાનુ પદ છીનવાયુ તે નિર્ણયને પડકાર્યો છે

16 બળવાખોર ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકરે આપેલી નોટિસને કોર્ટમાં પડકારવામાં આવી  છે. ધારાસભ્યોએ આ મામલે સોમવારે તાત્કાલિક સુનાવણીની માગ કરી છે, ત્યારે સુપ્રીમ કોર્ટ આજે આ અંગે સુનાવણી કરશે. શનિવારે ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલે 16 ધારાસભ્યોને સભ્યતા રદ કરવાની નોટિસ મોકલી હતી.

શિંદેએ રાજ ઠાકરે સાથે કરી વાતચીત 

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઘમસાણ વચ્ચે બળવાખોર જૂથના લીડર એકનાથ શિંદેએ રાજઠાકરે સાથે ફોન પર વાતચીત કરી હતી. અહેવાલો અનુસાર તેઓ વચ્ચે બબ્બે વખત વાતચીત થઈ હતી. રાજ ઠાકરેની તબિયતને લઈને અને હાલના રાજકીય સંજોગોને લઈને તેઓ વચ્ચે સંવાદ થયો હતો. 

આદિત્ય ઠાકરેએ મારો શાહરુખનો ડાયલોગ

આ સમગ્ર મામલે આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે એકનાથ શિંદેને 20 મેનાં રોજ મુખ્યમંત્રી બનવાની ઓફર ઉદ્ધવજી દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તેમને આ ઓફર બાદ પણ બળવો કર્યો હતો. તેમણે શાહરુખ ખાનનો એક ડાયલોગ બોલતા કહ્યું હતું કે અમે શરીફ શું થયા, દુનિયા બદમાશ થઈ ગઈ. તેમણે કહ્યું હતું કે બાળાસાહેબ હોત તો બરાબર જવાબ આપત.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Maharashtra Political Crisis maharashtra news politics મહારાષ્ટ્ર રાજકારણ Maharashtra Political Crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ