શિવસેનાના MLA નીતિન દેશમુખ સુરતની હોટલથી નાસી જવામાં સફળ રહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેઓનું અપહરણ થયું હતું પરંતુ બાદમાં એકનાથ શિંદેએ ફોટોઝ જાહેર કરીને વળતો જવાબ આપ્યો છે.
એકનાથ શિંદેએ જાહેર કરેલ ફોટોઝમાં નીતિન દેશમુખ પ્લેનની બહાર બે MLA સાથે દેખાઈ રહ્યા છે અને ખુશ જણાઈ રહ્યા છે તો બીજા એક ફોટોમાં તેઓ પ્લેનની અંદર દેખાઈ રહ્યા છે અને તેમ પણ તેઓ હસતાં નજરે ચડયા હતા. જેનો અર્થ તેમના કહેવા અનુસાર એવો થાય કે તેઓ મરજીથી જ વિમાનમાં ચડયા હતા. અને આ ફોટો સુરત જતાં વખતનો ફોટો છે. ત્યાં પહોંચ્યા બાદ નીતિન દેશમુખનાં સુર બદલાયા હતા.
Before me, MLA Prakash Abitkar tried to get away from them but he could not. We got to know about the conspiracy against the MVA govt as soon as we reached Surat's hotel: Shiv Sena MLA Nitin Deshmukh pic.twitter.com/PvV8BYtE6K
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખ સુરતની હોટલથી નાગપુર ભાગી ગયા છે. નાગપુર પહોંચ્યા બાદ ધારાસભ્ય દેશમુખે કહ્યું કે 20 થી 25 લોકોએ મને હોસ્પિટલ લઈ ગયા બાદ બળજબરીથી ઈન્જેક્શન લગાવ્યા. તે ઇન્જેક્શન શું હતા, એની મને ખબર નથી. તેમણે આગળ કહ્યું-મને બેભાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના કારણે હું કંઈ સમજી શક્યો નહીં. હું ઉદ્ધવ ઠાકરેનો શિવસૈનિક હતો, શિવસેનામાં રહીશ.
#MaharashtraPoliticalCrisis | After allegations of Shiv Sena MLA Nitin Deshmukh that he was forcibly taken to Surat, rebel leader Eknath Shinde camp releases earlier pictures of Nitin Deshmukh with other rebel MLAs pic.twitter.com/VQ6lWuP8cY
નીતિન દેશમુખે વધુમાં જણાવ્યું હતું કે, હું જ્યારે સુરતની હોટલમાં રાત્રે 3 વાગ્યે કોઈને કહ્યાં વગર ચાલીને હોટલની પાસે આવેલા ચાર રસ્તા પાસે પહોંચ્યો ત્યારે સુરત પોલીસના 150-200 જવાનો મારો પીછો કરી રહ્યાં હતાં.તેઓ મને કોઈ પણ પ્રકારને મહારાષ્ટ્ર પરત જવા દેવા ન માગતાં હતાં. હું જે કોઈ પણ વાહનને ઉભું રાખીને મુંબઈ આવવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે તેમણે મારી અટકાયત કરી હતી.
બાદમાં 20 થી 25 લોકો મને હોસ્પિટલ લઈને ગયા અને બળજબરીથી ઈન્જેક્શન લગાવી મને બેભાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ભગવાનની કૃપાથી મને કંઈ ના થયું ત્યાર બાદ તેઓએ એવી અફવા ચલાવી કે મને હાર્ટએટેક આવ્યો છે.