બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Early in the morning the Chief Minister held a khatla meeting at Jalotra village of Banaskantha

બનાસકાંઠા / ખેડૂતના ઘરે જ રાતવાસો અને વહેલી સવારે ખાટલા બેઠક: CM ભૂપેન્દ્ર પટેલ "ગાંવ ચલો" અભિયાનમાં જોડાયા

Vishal Khamar

Last Updated: 01:06 PM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા જીલ્લાનાં જલોત્રા ગામે લોકસભાની ચૂંટણીઓનાં પડઘમ વચ્ચે ભાજપનું ગાંવ ચલો અભિયાન ગુજરાતમાં શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી જલોત્રા ગામમાં રાત્રી રોકાણ કર્યું હતું. તેમજ ખાટલા બેઠકોનું પણ આયોજન કર્યું હતું. પ્રશ્નોને સાંભળીને નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.

  • બનાસકાંઠાનાં જલોત્રા ગામે મુખ્યમંત્રીએ કર્યું રાત્રિ રોકાણ
  • "ગાંવ ચલો" અભિયાનની ગુજરાતમાં શરૂઆત
  • મુખ્યમંત્રીએ વહેલી સવારે લોકો સાથે ખાટલા બેઠક કરી

લોકસભાની ચૂંટણીઓના પડઘમ વચ્ચે ભાજપનું ગાંવ ચલો અભિયાન શરૂ થયું છે. જેની શરૂઆત ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડગામના જલોત્રા ગામે પહોંચીને કરાવી છે. ગઈકાલે જલોત્રા ગામે પહોંચેલા  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગામના અલગ અલગ મંદિરોમાં દર્શન કર્યા અને તે બાદ રાત્રે જલોત્રા ગામના ખેડૂતના ઘરે રાતવસો  કરી વહેલી સવારથી જ ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી હતી. ગામના અલગ અલગ વિસ્તારોમાં ગામના લોકો સાથે સીએમે બેઠક કરી હતી. 

મુખ્યમંત્રીએ ખાટલા બેઠક યોજી દિવસની શરૂઆત કરી

ત્યારે સીએમએ વહેલી સવારથી જ ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી આજના દિવસની શરૂઆત કરી હતી. ખેડૂતો સાથે ખાટલા બેઠક દરમિયાન સીએમએ ખેડૂતો સાથે વાર્તાલાપ કરીને ખેડૂતો ના અલગ અલગ પ્રશ્નો સાંભળ્યા છે. ત્યારે સીએમ સાથે વાર્તાલાપ કરવાનો લ્હાવો મેળવનાર ખેડૂતો પોતાને ખુબ જ નસીબદાર ગણાવી રહ્યા છે. અને ખેડૂતોનાં પ્રશ્નોને મુખ્યમંત્રીએ સાંભળીને નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.  

 અમારા ખેડૂતોનો માર્કેટનો જે પ્રશ્ન હતો. તેને ધ્યાને લીધો છે
આ બાબતે ખેડૂતે ભીખાભાઈ પટેલે કહ્યું હતું કે, જલોત્રા મુકામે મુખ્યમંત્રીએ જે બેઠક કરી એનાથી ખેડૂતોમાં ખૂબ આનંદની લાગણી છે. તેમજ ખેડૂતોમાં ખુશી છે. અમારા ખેડૂતોનો માર્કેટનો જે પ્રશ્ન હતો. તેને ધ્યાને લીધો છે.  જેથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. 

વધુ વાંચોઃ VIDEO: 'આજે કોંગ્રેસ નિર્વસ્ત્ર થઈ ગઈ', રાજ્યસભામાં પરષોત્તમ રૂપાલાને કેમ કોંગ્રેસ સાંસદો પર આવ્યો ગુસ્સો

બેઠકમાં ખેડૂતોએ પાણીનાં પ્રશ્નોની રજૂઆત કરી હતી
ખેડૂત લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ જલોત્રા મુકામે રાત્રી રોકાણ કરી વહેલી સવારે બેઠક કરી હતી. ખાટલા બેઠકમાં તમામ તાલુકાનાં લોકો આવ્યા હતા. આ બેઠકમાં ખેડૂતોએ પાણીનાં પ્રશ્નોની રજૂઆત કરી હતી. જે તમામ બાબતો પર ચર્ચા વિચારણા કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ