બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તરસ લાગે ત્યારે જ યાદ આવે છે પાણી પીવાનું?, જાણી લેજો આ આદતો કિડનીને કરી નાંખશે બિમાર
Last Updated: 03:22 PM, 9 April 2026
આપણમાંથી ઘમા લોકો પાણી પીવાની વાતને સામાન્ય ગણે છે. તરસ લાગે તો ગ્લાસ પકડી લેવાનો. પણ પરંતુ કિડની એટલી લાપરવાહી સહન નથી કરી શકતી.આ નાનો અંગ રક્તને સાફ કરે છે, શરીરમાંથી ઝેરને બહાર કાઢે છે, ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન જાળવે છે અને શરીરના પાણીના સ્તરને કંટ્રોલ કરે છે. જ્યારે શરીરને પૂરતું પાણી ન મળે તો કિડનીને વધારે મહેનત કરવી પડે છે. આ માત્ર થાકની વાત નથી, લાંબા સમયમાં પથરી, યુરિન ઇન્ફેક્શન અને ક્રોનિક કિડની રોગનું જોખમ વધી શકે છે.
ADVERTISEMENT
ઘણા લોકો માને છે કે આખા દિવસ ચા, કોફી અથવા જ્યુસ પીવું પૂરતું છે. પરંતુ કેફીન અને સુગરવાળા પીણાં શરીરમાંથી પાણી ઝડપી રીતે બહાર કાઢી શકે છે. બીજી ગેરસમજણ એ છે કે “પાણી ત્યારે જ પીવો જ્યારે તરસ લાગે.” સાચું એ છે કે જ્યારે તરસ લાગે છે ત્યારે શરીર હળવું-સાંકડી રીતે ડિહાઈડ્રેટ થઈ ગયું હોય છે અને કિડની પર ભાર વધી ગયો હોય છે. કેટલાક લોકો જરૂરી કરતાં વધારે પાણી પી લે છે એવું વિચારે છે કે વધારે પાણી હંમેશાં ફાયદાકારક છે. પરંતુ થોડા સમયમાં 3-4 લીટર અથવા વધુ પાણી પીવું જોખમી બની શકે છે. આથી લોહીમાં સોડિયમનું લેવલ ઘટી શકે છે જેને હાઈપોનેટ્રેમિયા કહે છે. ગંભીર કેસમાં આ મગજમાં સોજો, કોમા સુધી પણ લઈ જઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
યુરોલોજિસ્ટના જણાવ્યા પ્રમાણે કિડનીને યોગ્ય માત્રામાં પાણીની જરૂર હોય છે. ઘણું ઓછું કે ઘણું વધારે બંને શરીર માટે નુકસાનકારક છે. ઓછું પાણી પીવાથી પેશાબ ઘટ થઈ જાય છે જેના કારણે પથરી અને ઈન્ફેક્શનનું જોખમ વધી શકે છે.ડાયાબિટીસ કે હાર્ટના દર્દીઓમાં વધુ પાણી લેવાનું શરીર પર ભાર પાડી શકે છે. ડૉક્ટર કહે છે કે 8 ગ્લાસ પાણીનો નિયમ દરેક પર લાગુ નથી.મહિલાઓને લગભગ 2.2 લીટર પાણી લેવું જોઈએ. પુરુષોને લગભગ 3 લીટર પાણીની જરૂર પડે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નારિયેળ પાણીમાં આ વસ્તુ મિક્સ કરીને પીવાથી શરીરને થશે અનેક ફાયદા
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.