બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
Last Updated: 07:16 AM, 10 May 2024
હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજી તિથિના દિવસે અક્ષય તૃતીયા ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ADVERTISEMENT
હિંદુ કેલેન્ડર અનુસાર અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસથી દાન, પૂજા, જપ અને તપ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 10 મેના રોજ ઉજવવામાં આવશે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે અક્ષય તૃતીયાના દિવસે કઈ વસ્તુઓથી બચવું જોઈએ.
તામસિક ભોજન ન કરવું
ADVERTISEMENT
અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ મસાલેદાર એટલે કે તામસિક ભોજન ન કરવું જોઈએ. આ સાથે માંસ અને દારૂનું સેવન પ્રતિબંધિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અશુભ પરિણામ આવી શકે છે. અક્ષય તૃતીયાના દિવસે વ્યક્તિએ માત્ર સાત્વિક આહાર લેવો જોઈએ, તેનાથી માનસિક શાંતિ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે.
ગંદકી ન ફેલાવો
અક્ષય તૃતીયાના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આ કારણથી અક્ષય તૃતીયા પર ઘરની સ્વચ્છતાનું ધ્યાન રાખો અને કચરો ન નાખો.
તુલસીના પાન તોડવા નહીં
હિંદુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ કારણથી અક્ષય તૃતીયા પર તુલસીના પાન ન તોડવા જોઈએ. આ દિવસે તમે તુલસીની પૂજા કરી શકો છો અને સાંજે ઘીનો દીવો પ્રગટાવી શકો છો.
આ ખોટું કામ ન કરો
અક્ષય તૃતીયા પર વ્યક્તિએ જુગાર, ચોરી, લૂંટ, જુગાર અને જૂઠું બોલવા જેવા કોઈપણ ખોટા કાર્યોમાં પ્રવૃત્ત ન થવું જોઈએ. આ કારણે માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT