બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધર્મ, રીતી-રિવાજો છીનવવા માટે નહીં પણ દિકરીઓ-માતાઓના આંસુ લુછવા માટે છે આ બિલ : હર્ષ સંઘવી
Last Updated: 07:14 PM, 24 March 2026
Gujarat UCC Bill : આજે ગાંધીનગર વિધાનસભાની બેઠક દરમિયાન સમાન નાગરિક સંહિતા (UCC) બિલ મુદ્દે રાજકારણ ગરમાયું હતું. આ મુદ્દે ઉપમુખમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં પોતાનું સ્પષ્ટ મંતવ્ય રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, આ બિલ કોઈના ધર્મ કે પરંપરાઓને નુકસાન પહોંચાડવા માટે નથી, પરંતુ સમાજમાં ખાસ કરીને મહિલાઓને ન્યાય મળે તે માટે બનાવવામાં આવ્યું છે. તેમના મુજબ, ઘણા વર્ષોથી ચાલતી કાયદાકીય અસમાનતાને દૂર કરવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.
ADVERTISEMENT
ઉપમુખમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર, હાલ ચાલી રહેલી પવિત્ર ચૈત્ર નવરાત્રી દરમિયાન મુખ્યમંત્રીએ ગૃહમાં આ ઐતિહાસિક પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે ભવિષ્યમાં મહત્વપૂર્ણ બદલાવ લાવી શકે છે. તેમણે કહ્યું કે આ નિર્ણયને આવનારી પેઢી યાદ રાખશે. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે, જ્યારે ગુનાહિત કિસ્સાઓમાં દરેક વ્યક્તિને સમાન સજા મળે છે, ત્યારે લગ્ન, છૂટાછેડા અને વારસાની બાબતોમાં અલગ-અલગ કાયદા કેમ હોવા જોઈએ? આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને UCC બિલ લાવવામાં આવ્યું છે.

ADVERTISEMENT
આ સાથે તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, પક્ષે હંમેશા આ મુદ્દાનો વિરોધ કર્યો છે અને હાલમાં પણ તેઓ માને છે કે દેશને આ કાયદાની જરૂર નથી. તેમના મત મુજબ, વર્ષો પહેલા પણ આ મુદ્દે મતભેદ રહ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, UCC માટે બનેલી કમિટીને લાખો લોકો પાસેથી સૂચનો મળ્યા હતા, જેમાંથી ઘણાં લોકોએ તાત્કાલિક આ કાયદો લાગુ કરવાની માંગ કરી હતી. આ દર્શાવે છે કે સમાજના મોટા વર્ગમાં આ મુદ્દે સમર્થન છે.
આ પણ વાંચો : કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર, ગરમીનો પારો 3 ડિગ્રી સુધી વધશે, હવામાનની મોટી આગાહી
ADVERTISEMENT
ઉપમુખમંત્રીએ ગોવા અને ઉત્તરાખંડનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, ત્યાં સમાન નાગરિક સંહિતા અમલમાં છે અને ત્યાંથી કોઈ મોટા વિવાદ સામે આવ્યા નથી. ગુજરાત પણ હવે આ દિશામાં આગળ વધવા ઈચ્છે છે. આ સમગ્ર મુદ્દે રાજકીય મતભેદ વચ્ચે રાજ્યમાં UCC બિલ હવે મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બની ગયો છે અને આવનારા દિવસોમાં આ મુદ્દે વધુ ચર્ચા થવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.