બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Discovering husband's infidelity days after marriage can drive wife to suicide: Delhi High Court
Hiralal
Last Updated: 05:21 PM, 23 August 2023
લગ્ન બાદ પતિની બેવફાઈ પર પત્ની પર ભારે પડતી હોય છે અને તે આ વાત કોઈ પણ સંજોગોમાં સહન કરી શકતી નથી, અને તે મોતને ગળે લગાડી લેતા પણ વાર નથી લગાડતી. બેવફાઈને કારણે પત્નીના આપઘાત પર પતિને જરા પણ માફી આપવાના મૂડમાં હાઈકોર્ટ નથી. દિલ્હી હાઈકોર્ટે આવી એક મોટી ટીપ્પણી કરી છે.
હાઈકોર્ટના જસ્ટીસે શું કહ્યું
દિલ્હી હાઈકોર્ટે હાલમાં જ કહ્યું હતું કે, લગ્ન બાદ તરત પતિની બેવફાઈ તેમજ તેના ખરાબ વર્તનની જાણકારી મળવા પર પત્ની આપઘાત કરવા મજબૂર બની શકે છે. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ કહ્યું હતું કે જીવનસાથીની બેવફાઈ વ્યક્તિની માનસિક અને ભાવનાત્મક સુખાકારી પર ગહન અને વિનાશક અસર કરી શકે છે.
આઘાતની આ ભાવના જબરજસ્ત હોઈ શકે છે કારણ કે એક સ્ત્રી વિશ્વાસ અને આશા સાથે લગ્નમાં પ્રવેશી હોય છે જે તેના પતિના લગ્નેતર સંબંધના ઘટસ્ફોટથી તૂટી શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે, જીવનસાથી દ્વારા બેવફાઈ અને ત્યારબાદના ખરાબ વર્તનનું નિદાન થવાની ભાવનાત્મક આઘાત સ્ત્રીને આત્મહત્યા કરવાની હદ સુધી પગલું ભરવાની ફરજ પાડી શકે છે અને પત્નીને આપઘાત કરવાની ફરજ પાડનારને માફ ન કરી શકાય. જસ્ટીસ શર્માએ મહિલાના મૃત્યુ માટે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 498 એ (ક્રૂરતા) અને 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ નોંધાયેલા વ્યક્તિને જામીન આપવાનો ઇનકાર કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.
શું હતી ઘટના
આ દંપતીએ 18 મે, 2022 ના રોજ લગ્ન કર્યા હતા અને ત્યાર પછી તરત પત્નીને પતિના આડા-સંબંધોની જાણ થઈ હતી, પતિ તેની સાથે ખરાબ વ્યવહાર પણ કરતો હતો. આ વાતનો ભાર આઘાત લાગતાં મહિલાએ 31 મે, 2022 ની આસપાસ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. મહિલાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી પુરુષના લગ્નેતર સંબંધ છે. મહિલાના પિતાએ તેના મોત માટે આરોપીને જવાબદાર ઠેરવ્યો છે.
કોર્ટે કેમ ફગાવી અરજી
જામીન અરજી પર વિચાર કર્યા બાદ કોર્ટે તારણ કાઢ્યું હતું કે આરોપી સામે ચોક્કસ આક્ષેપો થયા હતા કે તેનો લગ્નેતર સંબંધ છે અને તેથી મહિલા દરરોજ ભારે તણાવ અને આઘાતમાંથી પસાર થઈ રહી હતી તેને કારણે તેને આપઘાતની ફરજ પડી હતી. આથી કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime