બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dhirendra Shastri's Darbar will be held again in Gujarat: know where and when?
Priyakant
Last Updated: 04:08 PM, 15 September 2023
Baba Bageshwar In Ambaji : બાબા બાગેશ્વર ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, બાગેશ્વર ધામના પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ નવરાત્રીમાં યાત્રાધામ અંબાજી ખાતે આવવાના છે. વિગતો મુજબ અંબાજીમાં ત્રણ દિવસીય બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ આજે બાબા બાગેશ્વરના PA અંબાજી પહોંચ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે વર્ષે દહાડે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. જોકે હવે યાત્રાધામ અંબાજી ખાતે બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજવાનો છે. વિગતો મુજબ નવરાત્રીના પહેલા 3 દિવસમાં બાગેશ્વર ધામના પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાનાર છે. મહત્વનું છે કે, આ કથા અને દિવ્ય દરબારનું આયોજન પ્રવીણ કોટક કરી રહ્યાં છે.
બાબા બાગેશ્વરના PAએ કર્યું સ્થળ નિરીક્ષણ
બાગેશ્વર ધામના પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ત્રણ દિવસીય કથા અને દિવ્ય દરબારને લઈ આજે તેમના PA અંબાજી ખાતે સ્થળ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. જ્યાં અંબાજી ખાતે દિવ્ય દરબાર માટેના સ્થળનું નિરિક્ષણ કરી ધિરેન્દ્ર શાસ્ત્રીની અને ભક્તોની સુરક્ષા વ્યવસ્થા અને દર્શન વિશે જાણકારી આપી હતી.
શું કહ્યું બાગેશ્વરના PAએ ?
VTV ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં બાબા બાગેશ્વરના PA એ જણાવ્યું હતું કે, આગામી નવરાત્રીની શરૂઆતમાં એટલે કે, તા. 15-16-17 ત્રણ દિવસીય કથા થશે. જેને લઈ આજે અમે અહિયાં નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા. અમે બે ત્રણ સ્થળનું નિરીક્ષણ કર્યું છે. જેમાંથી એક સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. આ કથામાં દોઢથી બે લાખ ભક્તો આવશે. અમે અહી દોઢથી બે લાખ ભક્તોને બેસવાની અને અન્ય વ્યવસ્થા કરી છે. અહીંના આદિવાસી વિસ્તારમાં રહેતા જે લોકો પોતાના ધર્મથી કોઈપણ કારણથી દૂર થઈ ગયા છે તેમણે પણ પોતાના ધર્મમાં પરત લાવવા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા