બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ધર્મેન્દ્રના પાર્થિવ શરીરને સ્મશાન લઈ જતાં પહેલાં ઘર બહાર સળગાવાયો હતો દીપ, જાણો તેનો શું અર્થ
Last Updated: 08:31 AM, 25 November 2025
ધર્મેન્દ્રના મૃત્યુના સમાચાર આવે તે પહેલાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયો જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ અનુમાન કરવા લાગ્યા કે ધર્મેન્દ્ર હવે આ દુનિયામાં નથી રહ્યાં. વીડિયોમાં એક મહિલા સળગતો દીવો પકડીને જોવા મળી હતી. ત્યારબાદ તેણે આવીને તેને ઘરની બહાર એક ખૂણામાં મૂકી દીધો. વીડિયો જોયા પછી ઘણા લોકોને નવાઈ લાગી કે કેમ ઘરની બહાર આ રીતે દીવો કેમ મૂકવામાં આવ્યો હતો. મહિલા કોણ હતી એના વિશે તો જાણી શકાયું નથી પણ હિન્દુ ધર્મમાં આ રીતે દીવો પ્રગટાવવાના મહત્વ વિશે આજે તમને જણાવીશું.
ADVERTISEMENT
મોત પછી ઘરના દરવાજા સામે દીવો પ્રગટાવવાની પાછળનું કારણ ઘણીવાર પૂર્વજોને ખુશ કરવા માટે કરવા માટે. એવું પણ માનવામાં આવે છે કે આ મૃતકોને તેમની યાત્રામાં પ્રકાશ આપશે અને તેમનો માર્ગ સરળ બનાવશે. આ દીવો કે પ્રકાશ તેમને આગળ વધવાનો રસ્તો બતાવશે. જે ઘણીવાર 13 દિવસ માટે કરવામાં આવે છે જેમાં દરરોજ એક દીવો પ્રગટાવવામાં આવે છે. જોકે આ માન્યતા સ્થળને આધારે બદલાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ એક જ દીવાને કારણે ધર્મેન્દ્રના ચાહકોમાં અફવા ફેલાઈ હતી કે કદાચ હી-મેન હવે જીવિત નથી. જોકે પરિવાર તરફથી હજુ સુધી કોઈએ આ વિશે પોસ્ટ કરી નથી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ખેતી કરવી, દેશી ખોરાક ખાવો, કઈક આવી હતી પીઢ અભિનેતા ધર્મેન્દ્રની જીવનશૈલી
ADVERTISEMENT
બૉલીવુડના દિગ્ગજ અને પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર હવે આ દુનિયામાં નથી રહ્યા. 89 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા અને આ સમાચાર સાંભળતાં જ સમગ્ર દેશ અને ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. તેમના અચાનક નિધનની પુષ્ટિ સૌપ્રથમ કરણ જોહરે સોશિયલ મીડિયા દ્વારા કરી હતી.ધર્મેન્દ્ર એક નામ, જેને હિન્દી ફિલ્મ ઉદ્યોગે “હિ-મેન” તરીકે ઓળખાણ આપી હતી. તેમના કરિશ્માઇ વ્યક્તિત્વ, સુપરહિટ ફિલ્મો, અને અસંખ્ય યાદગાર ભૂમિકાઓ સાથે કરોડો ચાહકોના દિલમાં અમર બની ગયા છે. સિનેમાના પડદા પર તેમના વ્યક્તિત્વે અનેક પેઢીઓને પ્રભાવિત કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.