બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / બારડોલીમાં પંચમુખી હનુમાનજીનું મંદિર, સંકેત થયો ત્યાં નીકળી સ્વયંભૂ બજરંગબલીની મૂર્તિ

દેવ દર્શન / બારડોલીમાં પંચમુખી હનુમાનજીનું મંદિર, સંકેત થયો ત્યાં નીકળી સ્વયંભૂ બજરંગબલીની મૂર્તિ

Last Updated: 06:30 AM, 12 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંદિરનું પ્રાગટ્ય પણ રહસ્યમય સંજોગોમાં થયું હોવાનું લોકવાયકા છે. મંદિરના પૂજારીને હનુમાનજી મહારાજની હાજરી આવી હતી અને તે જગ્યાએ જઈને જોતા સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ ત્યાં નીકળી હતી

દક્ષિણ ગુજરાતમાં અનેક મંદિરો આવેલા છે. સુરત જિલ્લામાં વિવિધ દેવી-દેવતાઓના વિશેષ દેવાલયોમાં હનુમાનજીના પણ અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. આવું જ એક આસ્થાનું પ્રતીક બારડોલી તાલુકાના ખરવાસા રોડ પર આવેલું પંચમુખી હનુમાનજીનું મંદિર છે. મંદિર પહેલા નાનું ડેરું જ હતું પરંતુ બાદમાં તેનો જીર્ણોદ્ધાર કરીને મોટું મંદિર બનાવવામાં આવ્યુ.

મંદિરનું પ્રાગટ્ય પણ રહસ્યમય સંજોગોમાં થયું હોવાનું લોકવાયકા છે. મંદિરના પૂજારીને હનુમાનજી મહારાજની હાજરી આવી હતી અને તે જગ્યાએ જઈને જોતા સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ ત્યાં નીકળી હતી. જેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. નિયમિત મંદિરે આવતા ભાવિકો હનુમાનજીને અડદ, કાળાતલ, સિંદૂર, ખારેક અને લીંબુ મરચા ધરાવે છે. જે ભાવિકે કોઈ માનતા રાખી હોય અને જ્યારે તેને તેનુ ફળ મળે ત્યારે તે હનુમાનજીને શ્રીફળ ધરાવી માનતા પૂર્ણ કરે છે.

1

હનુમાનજીની મૂર્તિ મળ્યા બાદ પુજારી અને આસપાસના અમુક લોકો જ એક નાનું ડેરું બનાવીને દાદાની પૂજા અર્ચના કરાતા હતા. વર્ષો વીતતા ગયા તેમ ધીમે ધીમે પંચમુખી હનુમાનજી પ્રત્યે ભક્તોની આસ્થા અને શ્રદ્ધા વધતા હાલ વાર તહેવારે અહીં ભક્તોનો જમાવડો થાય છે. દાદા પર અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દર શનિવારે અચૂક હનુમાનજીના દર્શન કરવા આવે જ છે અને દાદા પણ તેમના ભક્તો પર સદાય આશીર્વાદ વરસાવે છે.

2

નિસંતાન દંપતિ હનુમાનજી દાદા સમક્ષ સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખે છે અને તેમના ઘરે ચોક્કસપણે પારણા બંધાય છે તેવી ભાવિકોની અતૂટ શ્રદ્ધા છે. સુંદર રમણીય જગ્યામાં આવેલા હનુમાજી મંદિરે નિત્ય સવાર સાંજ કરવામાં આવતા પૂજા અને આરતી સમયે મંદિર અને આજુબાજુના વિસ્તારમાં ફેલાતા ભક્તિમય તરંગોમાં ભાવિકો લીન થઈ શાંતિનો અહેસાસ કરે છે.

આ પણ વાંચોઃ રક્ષાબંધન પર શક્તિશાળી યોગ શરૂ કરાવશે ગોલ્ડન ટાઇમ, ઘોડાની જેમ દોડશે આ જાતકોનો બિઝનેસ

3

પંચમુખી હનુમાન દાદાની રંગેચંગે કરવામાં આવતી આરતીમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાય છે. બારડોલી તેમજ સમગ્ર જિલ્લાભરમાંથી ભક્તો અહીં આવી પંચમુખી હનુમાન દાદાની દર્શન કરી ધન્યતા અનુભવે છે. ભાવિકો અનેક માનતાઓ સાથે દાદાના શરણે આવે છે અને શ્રદ્ધાળુઓની સાચા મનથી માંગેલી દરેક ઈચ્છા પૂર્ણ થયાના અનેક પ્રમાણ છે. દર શનિવારે પંચમુખી હનુમાનજીના મંદિરે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. અને પંચમુખી હનુમાન દાદાની પૂજા આરતી કરે છે. વર્ષ દરમિયાન હનુમાન જયંતિ સહિતના વિવિધ તહેવારોની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dev Darshan Famous Hanuman Temple Panchmukhi Hanuman Temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ