બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:45 AM, 16 August 2025
શ્રાવણ વદ આઠમ, શનિવારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ સમગ્ર ગુજરાતભરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાયો. દ્વારકા, ડાકોર, શામળાજી સહિત રાજ્યના વિવિધ મંદિરોમાં ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા. શુક્રવારથી જ યાત્રાળુઓ ધર્મધામોમાં પહોંચી ગયા હતા અને મધરાતે 12 વાગ્યે શંખનાદ થતા મંદિરો 'નંદ ઘેર આનંદ ભયો' ના જયઘોષોથી ગુંજી ઉઠ્યા હતા.
ADVERTISEMENT

કનૈયા, કાનુડો, કાનજી, નંદલાલ, અચ્યુત, મુરલીધર, મોહન, શ્યામ, દ્વારકાધીશ, રણછોડ જેવા અનેક નામોથી ભક્તો વ્હાલથી બોલાવતા ભગવાન કૃષ્ણના જન્મોત્સવમાં લોકો આનંદની લાગણી સાથે મનાવે છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે ઋષિ દુર્વાસાએ ભગવાન કૃષ્ણને આશીર્વાદ આપ્યો હતો કે, જ્યાં સુધી મનુષ્યમાં અન્નનો ભાવ રહેશે ત્યાં સુધી તે તારા પ્રત્યે ભાવ રાખશે.
ADVERTISEMENT
જન્માષ્ટમી નિમિત્તે 'નંદ ઘેર આનંદ ભયો'થી ગૂંજી ઉઠ્યા શ્રીકૃષ્ણ મંદિરો#janmashtami2025 #DwarkadhishMandir #dwarka #gujaratinews #vtvdigital pic.twitter.com/uJLBctfYpW
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 16, 2025
ADVERTISEMENT
ડાકોરમાં સવારે 6:30એ નીજ મંદિર ખુલ્યું, 6:45એ મંગળા આરતી બાદ દિવસભરમાં વિવિધ આરતીઓનો કાર્યક્રમ યોજાયો. બપોરે 1 વાગ્યે મંદિર બંધ થયા બાદ સાંજે ફરીથી દર્શન ખુલશે. રાત્રે બરાબર 12 વાગ્યે જન્મોત્સવ સાથે પંચામૃત સ્નાન કરવામાં આવશે અને બીજા દિવસે નંદ મહોત્સવ અને પ્રસાદના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા.
રાજાધિરાજ શ્રી દ્વારિકાધીશના મંગળા આરતીના દર્શન કરીને થઈ જાઓ ધન્ય#Dwarka #dwarikadhish #ManglaAarti #vtvgujarati pic.twitter.com/e4immp9vuB
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 16, 2025
ADVERTISEMENT
દ્વારકામાં સવારે 6 વાગ્યે મંગળા આરતીથી ઉજવણી શરૂ થઈ. દિવસભરમાં શણગાર, અભિષેક, રાજભોગ અને સંધ્યા આરતી બાદ રાત્રે 12 વાગ્યે જન્મોત્સવની ઉજવણી સાથે વિશેષ પુજા, જન્મસ્નાન અને ભજન-સંકીર્તન યોજાશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સવારે 6 વાગ્યે મંદિર ખુલશે, સવારે 6:45ના મંગળા આરતી, સવારે 9:15ના શણગાર આરતી, સવારે 11:30ના રાજભોગ ધરાવાશે-મંદિર બંધ, બપોરે 12:15ના રાજભોગ આરતી-મંદિર બંધ, બપોરે 2:15ના મંદિર ખુલશે, સાંજે 7ના સંધ્યા આરતી, રાત્રે 12ના જન્મોત્સવ, રાત્રે 12:45ના શયન આરતી. મંદિર પરિસરમાં કૃષ્ણ જન્મ, ગોવર્ધન પર્વત, નાગ દમનની ઝાંખીના દર્શન તેમજ ડાયરાનું પણ આયોજન.ત્રણ દિવસની રજાને કારણે સોમનાથ, અંબાજી, ચોટીલા, પાવાગઢ જેવા પવિત્ર સ્થળોએ પણ ભક્તો ઉમટી પડ્યા. દ્વારકા અને સોમનાથમાં મોટી-નાની તમામ ધર્મશાળાઓ તથા હોટેલો ભરાઈ ગયાં હતાં.

કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન દહીં હાંડીનું ખાસ મહત્ત્વ છે. આ અવસરે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં શનિવારે મટકી ફોડના કાર્યક્રમો યોજાશે. અમદાવાદના ઈસ્કોન મંદિરમાં દર વર્ષની જેમ આ વખતે પણ જન્માષ્ટમીનો મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. ભગવાન શ્રીકૃષ્ણના ગર્ભગૃહને દેશ-વિદેશમાંથી મંગાવવામાં આવેલા ફૂલોથી શણગારવામાં આવશે.

થાઇલેન્ડથી પાંચ રંગના ઓર્ચિડ, દક્ષિણ આફ્રિકાથી ત્રણ જાતના એન્થોરિયમ, સાથે કાર્નેશન, ડચ રોઝ, જિપ્સી, સેવંતી, રજનીગંધા અને ડેઝી જેવા ફૂલ મળી કુલ 900 કિલો ફૂલોથી મોર, શંખ, કમળ અને ધનુષ જેવા સુંદર આકૃતિઓ તૈયાર કરાશે. આ ઉપરાંત ભગવાનને 600થી વધુ પ્રકારની વાનગીઓ અર્પણ કરવામાં આવશે. જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવ પ્રસંગે 10 હજારથી વધુ ભક્તો માટે ભંડારા અને પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : આજે જન્માષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણની શુભ મુહૂર્તમાં કરો પૂજા, જાણો મંત્ર અને આરતી
રાજ્યભરમાં કૃષ્ણ જન્મોત્સવનો ધામધૂમથી ઉજવણી થશે અને લાખો ભક્તો ભગવાન કાનુડાના જન્મોત્સવના દર્શન કરીને આનંદનો અનુભવ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.