બ્રેકિંગ ન્યુઝ
બેંકના સંચાલનમાં થતી ખામીઓને ધ્યાનમાં રાખીને RBIએ આ નિર્ણય લીધો છે. RBIએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 22, 4 હેઠળ આ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. આ કેસ વિશે વિસ્તૃત માહિતી આપતાં RBIએ જણાવ્યું હતું કે સુભદ્રા બેંકમાં એવા ઘણા કામો થઇ રહ્યા હતા જે થાપણદારોના વર્તમાન અને ભવિષ્ય માટે યોગ્ય ન નથી. આવી સ્થિતિમાં આ બેંક ચાલુ રાખીને પ્રજાને નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT
બેન્કિંગ અને અન્ય વ્યાપારો ઉપર પ્રતિબંધ મુકાયો
RBIએ આ મહિનામાં મહારાષ્ટ્રની મુશ્કેલીમાં મુકાયેલી કરાડ જનતા સહકારી બેંકનું લાઇસન્સ પણ રદ કર્યું હતું. હવે સુભદ્રા બેંકને લઈને કેન્દ્રીય બેંકનું કહેવું છે કે ગયા નાણાકીય વર્ષના છેલ્લા બે ક્વાર્ટરમાં આ બેંકે મિનિમમ નેટ વર્થની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. આ બેંક પાસે થાપણદારોને પરત કરવા માટે પૂરતી મૂડી નથી. હવે લાઇસન્સ રદ થયા પછી, આ બેંક કોઈપણ પ્રકારનું બેંકિંગ અથવા અન્ય વ્યવસાય કરી શકશે નહીં.
ADVERTISEMENT
ડિપોઝિટર્સને મળશે 5 લાખ રૂપિયા સુધીની રકમ
નોંધનીય છે કે કોઈ પણ બેંક બંધ થવા પર બેંકની તમામ મૂડી તેમના થાપણદારોને પાછા આપવાની જોગવાઈ છે. ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (DICGC) આ સુનિશ્ચિત કરે છે. DICGCના નિયમો અનુસાર આ મર્યાદા 5 લાખ રૂપિયા સુધીની છે.
ADVERTISEMENT
આનો અર્થ છે કે બેંક બંધ થયા પછી થાપણદારો વધુમાં વધુ 5 લાખ રૂપિયા પાછા મેળવી શકે છે. RBIનું કહેવું છે કે કરાડ બેંકના 99 ટકા થાપણદારોને તેમના સંપૂર્ણ પૈસા પાછા મળશે.
બેન્કની પાસે ડિપોઝિટર્સને પૈસા પાછા આપવા પૂરતી રકમ
ADVERTISEMENT
RBIએ કહ્યું કે, "આ બેંકના સંચાલનની કામગીરીને જોતા, એમ કહી શકાય કે થાપણદારોના વર્તમાન અને ભાવિ પર વિપરિત અસર પડશે." લાઇસન્સ રદ કર્યા પછી, RBI હવે હાઇકોર્ટમાં અરજી કરશે. જો કે, RBIએ એમ પણ કહ્યું હતું કે હાલમાં સુભદ્રા લોકલ એરિયા બેંક પાસે તમામ થાપણદારોને ચૂકવણી કરવા માટે પૂરતી મૂડી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.