બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Decorative knots are becoming like railway isolation coaches, falling for hospital beds
ADVERTISEMENT
કોરોનાની બીજી વેવ શરૂ થતા હોસ્પિટલોમાં બેડની અછત વર્તાઈ હતી સ્થિતિ એવી રીતે વકરી કે દર્દીઓ માટે હોસ્પિટલોમાં બેડ ઓછા પડી રહ્યા હતા ત્યારે અમદાવાદ રેલવે વિભાગે તાત્કાલિક ધોરણે 19 કોચમાં 300 બેડ તૈયાર કર્યા હતા જેમાં કોવિડ દર્દીઓની સારવાર આપી શકાય પરતું પાંચ દિવસ વિત્યા હોવા છતા એક પણ દર્દીઓ કોચમાં સારવાર માટે આવી નથી ત્યારે તંત્રની કામગીર પર સવાલ થાય છે કે કોરોનાના તમામ દર્દીઓ સિરિયસ સ્થિતિમાં હોય ત્યારે જ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે કે પછી અમદાવાદ મ્યુ.કોર્પોરેશનનું મિશ મેનેજમેન્ટ જવાબદાર છે ?
દર્દીઓ જાતે જ કોવિડ કેર સેન્ટર પર પહોંચી શકે છે
મહત્વનું છે કે રેલવે વિભાગે એક કોચમાં 8 વોર્ડ ઉભા કર્યા છે 1 વોર્ડમાં 2 લોકો સારવાર લઈ શકે તેવી સુવિધા કરવામાં આવી છે, તેમજ ગરમીથી બચવા માટે રેલવે કોચ પર રુફટોપ કુલિંગ અને વિન્ડો કુલર મુકાયા છે અને ઓક્સિજનના સિલિન્ડર પણ મુકાયા છે રેલવે વિભાગે કોરોન્ટાઈન થવા કે કોવિડના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ માટે તમામ પ્રકારની સુવિધા કરી હોવા છતા દર્દીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
રેલવેના આઈસોલેશન વોર્ડ ખાલી પડ્યા છે
અમદાવાદ મનપાના યોગ્ય વ્યવસ્થાપનના અભાવે દર્દીઓ રેલવે આઈસોલેશન કોચ ઉપયોગ વિના પડ્યા રહ્યા છે. આઈસોલેશન કોચની બહાર ડોક્ટરો દર્દીઓની રાહ જોઈ રહ્યા છે પરતું કોઈ દર્દી રેલવેના કોચમાં સારવાર કરવા માટે જવા તૈયાર નથી એ તંત્રના મિસ મેનેજમેન્ટ જવાબદાર છે ત્યારે સવાલ જરૂર થાય કે આટલી સુવિધા હોવા છતા કેમ દર્દીઓ નથી લઈ રહ્યા સારવાર ?
દર્દીઓ જાતે જ પહોંચી શકે છે કોવિડ કેસ સેન્ટર
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.