બ્રેકિંગ ન્યુઝ
#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ
રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે
રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ
રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ
રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત
TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું
'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ
ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા
રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો
રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ
VTV / ગુજરાત / Cyclone changing direction will hit Gujarat? Govt gave good news to farmers, Adipurush final trailer launch
Dinesh
Last Updated: 07:32 AM, 7 June 2023
બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતનાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલીનાં પીપાવાવ પોર્ટનો દરિયો આગામી સમયમાં તોફાની બની શકે છે. ત્યારે જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ જાફરાબાદ, પોરબંદર, માંદરોળનાં દરિયા કિનારે પણ 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માંગરોળનાં દરિયામાં કરંટ વધતા 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે માંગરોળમાં માછીમારોને પોતાની બોટ બહાર લઈ લેવાની સૂચના પણ આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વાવાઝોડાની પ્રક્રિયા અરબ સાગરમાં શરૂ થઈ છે. અત્યારે વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે. જોકે, વાવાઝોડાની ગુજરાતમાં અસર વર્તાશે. વાવાઝોડાના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે.
ADVERTISEMENT
ખેતીવાડી જમીનમાં હોજમાંથી પાણી ઉદ્ધહન કરી સુક્ષ્મ સંચાઈ પદ્ધતિથી ખેતી માટે ઉપયોગમાં પાણી લેવા બાબતે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હોજમાંથી પાણીને ખેતી સુધી પહોંચાડવા હેતુ માટે મહત્તમ 05 હોર્સ પાવરનું ખેતી વિષયક વીજ જોડાણ આપશે.ઉર્જા વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં જણાવ્યા અનુસાર તા.30-03-2017ના પત્ર મુજબ જે ખેડૂત કૃષિ વીજ જોડાણ ધરાવતો ન હોય પરંતુ અન્ય કોઈ પણ સ્ત્રોત દ્વારા પોતાની જમીનમાં હોજ પાણી ભરે તો તેને સિંચાઈ હેતું ઉપયોગ કરી શકે અને પોતાની પાકની પિયતની જરૂરિયાત પૂરી કરી શકે તે હેતુથી આવા ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેતુ મહત્તમ 05 હોર્સ પાવરનું અલાયદુ કૃષિ વીજ જોડાણ આપવા માટે ધારાધોરણો/ શરતો નિયમ કરવામાં આવે છે
ADVERTISEMENT
ખેડૂતોને વીજ જોડાણ લઈ ગુજરાત સરકારે આપ્યા ગુડ ન્યૂઝ#Khedut #VTVGujarati #VTVCard pic.twitter.com/a8LFufieC8
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 6, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજાનારા ર૦ માં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન બોર્ડર વિલેજ-સરહદી વિસ્તારના ગામોની શાળાઓમાં પ્રવેશોત્સવ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, બોર્ડર વિલેજને છેવાડાના કે છેલ્લા ગામ નહિ પરંતુ પ્રથમ ગામ ગણીને પ્રાથમિક શિક્ષણ સહિતની માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા અભિનવ વિચારને સુસંગત આ વર્ષનો શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં કચ્છ, ભાવનગર અને નર્મદા જિલ્લાના સરહદી ગામોની શાળાઓમાં ભુલકાંઓનો પ્રવેશ કરાવશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પાછલા બે દાયકાથી યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્સવનો ર૦ મો તબક્કો આગામી ૧ર થી ૧૪ જૂન-ર૦ર૩ દરમ્યાન યોજાવાનો છે. ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની થીમ સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીઓ તથા સમગ્ર આયોજન અંગેની માર્ગદર્શન બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય પર કોંગ્રેસના નેતાઓનો કાફલો પહોંચ્યો હતો જેમાં અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી સહિતના નેતા CMને મળવા માટે પહોંચ્યા હતા. CM ભૂપેન્દ્ર પટેલને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઇને રજૂઆત કરી હતી.જે સમગ્ર મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, આજે ગુજરાતમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે જેના કેટલાક કિસ્સાઓ કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં સામે આવ્યા છે. સુરતના ઓલપાડના પોલીસ હેડ કોન્સેટબલને પૂછપરછ માટે દિલ્હીની પોલીસ ઓગસ્ટ 2022માં લઈ જાય અને તે વાતને આઠ મહિનાથી વધુ સમય થયો હોય તેમ છતા તેની ભાળ ન મળતી હોય તેમની પત્ની ન્યાય માટે ગુહાર માંગીને થાક્યા હોય ત્યારે તેમણે કોંગ્રેસના જનમંચ પર આ વાત રજૂ કરી હતી જે વાત અમે મુખ્યમંત્રી પાસે લઈ આવ્યા છીએ.
પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી બે મહત્ત્વની ચર્ચા ચાલી રહી છે, જેમાંથી એક છે કે અમદાવાદમાં નવા પોલીસ કમિશનર કોણ આવશે, જ્યારે બીજી ચર્ચા એ છે કે ઇતિહાસમાં પહેલી વખત ઇન્ચાર્જ પોલીસ કમિશનરના નેતૃત્વમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે. પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવ નિવૃત્ત થયા બાદ તેમની જગ્યાએ ક્રાઇમ બ્રાંચના જેસીપી પ્રેમવીરસિંહને ઈન્ચાર્જ પોલીસ કમિશનરનો તાજ પહેરાવવામાં આવ્યો છે. જ્યાં સુધી અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ગૃહ વિભાગ સત્તાવાર નામ જાહેર ના કરે ત્યાં સુધી પ્રેમવીરસિંહ ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવશે. રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને પોલીસ દરેક પાસાંઓ પર માઇક્રોલેવલે કામ કરી રહી છે. 20 જૂને અષાઢી બીજ છે ત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામની રથયાત્રા શહેરમાં નીકળશે. દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે, જેને જોવા માટે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. રથયાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ લોખંડી સુરક્ષા ગોઠવી દેતી હોય છે. રથયાત્રાના બે મહિના પહેલાંથી પોલીસ એલર્ટ મોડ પર આવી જતી હોય છે અને દરેક પાસાંઓ પર ધ્યાન આપીને બંદોબસ્તનો માસ્ટર પ્લાન બનાવતી હોય છે. હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, સુરક્ષાદળની ટીમ સિહતના જવાનો રથયાત્રામાં તહેનાત હોય છે.
ગુજરાતમાં વધુ એક ભરતીમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મોરબી પાણી પુરવઠા બોર્ડની ભરતીમાં કૌભાંડ થયાનો આક્ષેપ રાજકોટના અગ્રણી બિલ્ડર દ્વારા કરવામાં આવ્યો છે. બિલ્ડર દ્વારા પાણી પુરવઠા વિભાગની ભરતીને લઈને કરવામાં આવેલી RTIમાં મોરબી પેટા કચેરી વિભાગ 1માં ગેરકાયદે ભરતી થઈ હોવાનું સામે આવ્યું છે. રાજકોટના અગ્રણી બિલ્ડર વિજયસિંહ ઝાલાએ ભરતીમાં કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો છે. પાણી પુરવઠા બોર્ડની ભરતીમાં કૌભાંડ અંગે બિલ્ડર વિજયસિંહ ઝાલાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, મારી ઓફિસમાં એક પત્ર આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે પાણી પુરવઠા વિભાગમાં બે વ્યક્તિની જૂનિયર આસિસટન્ટ તરીકે નિમણૂક થયેલ છે. આ માટે મેં મોરબીની ડિવિઝન કચેરીમાં RTI કરીને માહિતી માંગી હતી.
છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે હાલ જામનગરમાંથી પણ એક એવી જ ઘટના સામે આવી છે. જેમાં શહેરના એક જાણીતા તબીબનું હાર્ટ એટેક આવવાના કારણે નિધન થયું છે. જામનગર શહેરના ખ્યાતનામ હ્રદયરોગ નિષ્ણાંત ડોક્ટર ગૌરવ ગાંધીનું 41 વર્ષની વયે નિધન થયું છે. હ્રદયરોગનો હુમલો આવતા તેમનું નિધન થયું છે. ડૉ. ગૌરવ ગાંધીના નિધનના કારણે જામનગરના તબીબોમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.
દેશમાં સતત વધતી મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ વચ્ચે હવે અદાણીના CNGના ભાવમાં ફરી વધારો કરાયો છે. ગુજરાત અને દેશભરમાં સતત વધતી જતી મોંઘવારીમાં વધુ એકવાર CNG ગેસના ભાવમાં વધારો થયો છે. અદાણી CNGના ભાવમાં 80 પૈસાનો વધારો થયો છે. હવે વાહનચાલકોએ અદાણી ગેસના CNG માટે 75.09 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે. આ વધેલા ભાવ આજથી અમલી થઈ ચૂક્યા છે. અગાઉ અમદાવાદામાં CNGનો ભાવ 74.29 રૂપિયા હતો. મહત્વનું છે કે 2 મહિના પહેલા કેન્દ્ર સરકારે CNG ગેસના ભાવમાં ઘટાડો કર્યો હતો. ભારત સરકારના નિર્ણય બાદ અદાણી ગેસે CNGમાં 6થી 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.ગત એપ્રિલ મહિનામાં ગેસના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી હતી. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જ CNG અને PNGના ભાવમાં ઘટાડો થયો હતો.
એક મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે ખેડૂતોના હાથમાં બાજી સોંપી છે. કઠોળ (દાળ) પકવતા ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના ઉપભોક્તા અને ખાદ્ય વિતરણ મંત્રાલયે 2023-24ના વર્ષ માટે પ્રાઈસ સપોર્ટ સ્કીમ હેઠળ તુવેર, અડદ અને મસૂરની દાળની ખરીદી પરની 40 ટકાની મર્યાદા દૂર કરી છે. આ મર્યાદા દૂર થઈ હોવાથી હવે ખેડૂતો ઈચ્છે તેટલું કઠોળ સરકારને વેચીને સારા ભાવ મેળવી શકશે. સરકારના આ નિર્ણય બાદ આ ખરીફ સિઝન અને આગામી રવી સિઝનમાં આ દાળોનું વાવેતર વધશે. કેમ અત્યાર સુધી તો ખેડૂતો તેમની ઉપજના ફક્ત 40 ટકા જ સરકારને વેચી શકતા હતા પરંતુ હવે તેઓ 40 ટકાથી વધારે દાળ વેચી શકશે. ગ્રાહક બાબતોના મંત્રાલયે આ દિશામાં કઠોળના ઉત્પાદનમાં વધારો કરવા સૂચનાઓ જારી કરી છે. મંત્રાલયે કહ્યું કે કઠોળના ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, 2023-24 ની સીઝન માટે ભાવ સપોર્ટ સિસ્ટમ હેઠળ તુવેર, અડદ અને મગની ખરીદીની મર્યાદા દૂર કરાઈ છે. તેનાથી ખેડૂતોને વિશ્વાસ થશે કે તેમના ઉત્પાદનની ખરીદી એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર કોઈ પણ મર્યાદા વિના કરવામાં આવશે.
In a significant step towards enhancing domestic production of pulses, the government has removed the procurement ceilings of 40% for tur, urad and masur under PSS operations for 2023-24.
— Moneycontrol (@moneycontrolcom) June 6, 2023
Read at 👇https://t.co/PZ4xTYJtih#Pulses #FoodProduction
ઓડિશા રેલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 278 લોકોનું મૃત્યુ નોંધાયું છે ત્યારે આ દુર્ઘટના પાછળનું આખરે કારણ શું હતું તે જાણવું જનતા માટે અત્યંત જરૂરી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ઈંટરલોકિંગ સિસ્ટમ લૂપ લાઈન સેટ હતી અને સિગ્નલ ગ્રીન થવાને કારણે ટ્રેન આગળ વધી હતી. માહિતી અનુસાર આ રિપોર્ટ PM મોદીને સોંપવામાં આવ્યો છે.રિપોર્ટ અનુસાર કોરોમંડલ એક્સપ્રેસને સીધું જવાનું હતું પરંતુ ઈંટરલોકિંગ સિસ્ટમ લૂપ લાઈન પર સેટ હોવાને લીધે ટ્રેને આગળ વધી ગઈ હતી.સિગ્નલ ગ્રીન થવા છતાં પણ જો ઈંટરલોકિંગ સિસ્ટમ સિગ્નલને અનુરૂપ નથી એટલે કે બીજી દિશામાં છે તો તેનો અર્થ થાય છે કે ઈંટરલોકિંગ સિસ્ટમ તૂટી ગયું છે. રેલ્વેનું માનવું છે કે તેમનો જે સિગ્નલિંગ સિસ્ટમ છે તેમાં આ ભૂલ શક્ય નથી. પહેલા ક્યારેય પણ આવું જોવા મળ્યું નથી કે સિગ્નલ અલગ હોય અને તેનું ઈન્ટરલોકિંગ અલગ હોય. આ સિસ્ટમ ઘણી મજબૂત હોય છે. આ દુર્ઘટના બાદ રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ દુર્ઘટના ઈલેક્ટ્રોનિક ઈંટરલોકિંગ અને પ્વાઈંટ મશીનમાં કરવામાં આવેલા બદલાવને કારણે થયું છે.
દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ફરી એકવાર સાયબર એટેકનો મામલો સામે આવ્યો છે. અખિલ ભારતીય સંસ્થા (AIIMS) તરફથી જ ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે મંગળવારે બપોરે 3 વાગ્યે નવી દિલ્હીની AIIMS ખાતે સાયબર સિક્યુરિટી સિસ્ટમ દ્વારા માલવેર એટેકની જાણ કરવામાં આવી હતી. જો કે સાયબર હુમલાના આ પ્રયાસને સંપૂર્ણપણે નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે.આ પહેલીવાર નથી જ્યારે હેકર્સે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) પર સાઈબર એટેક કર્યો હોય. આ પહેલા પણ આવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. ગયા વર્ષે રેન્સમવેર એટેક નામની હોસ્પિટલ પર સાયબર એટેક થયો હતો. જેના કારણે દર્દીઓને ઘણા દિવસો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા સર્વર ખોરવાયા ગયા હતા ત્યારે આજે ફરી એકવખત હુમલો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે થયેલા સાયબર હુમલાને કારણે હોસ્પિટલની રોજીંદી કામગીરી જેવી કે એપોઇન્ટમેન્ટ, દર્દીઓની નોંધણી, ડિસ્ચાર્જ સ્લિપ અંગેની માહિતી વગેરેને ભારે અસર થઇ છે. જો કે, તે થોડા સમય પછી પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.
A malware attack was detected at 1450 hrs by the cyber-security systems in AIIMS, New Delhi
— AIIMS, New Delhi (@aiims_newdelhi) June 6, 2023
The attempt was successfully thwarted, and the threat was neutralised by the deployed cyber-security systems. The eHospital services remain to be fully secure and are functioning normally
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે 24 કલાકથી પણ ઓછો સમય બચ્યો છે, પરંતુ તે પહેલા લંડનથી આવેલા સમાચાર ભારતીય ફેન્સને પરેશાન કરી શકે છે. આ મેચના એક દિવસ પહેલા ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હતો. રોહિતને મંગળવારે ઓવલ મેદાન પર પ્રેક્ટિસ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી, જેના કારણે તેને નેટ્સ સેશન છોડવું પડ્યું હતું. હાલ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, ઈજા કેટલી ગંભીર છે અને તે બુધવારે રમાનારી મેચમાં જશે કે નહીં.7 જુનથી શરુ થઈ રહેલી ફાઈનલના એક દિવસ અગાઉ મંગળવારે ટીમ ઈન્ડિયાનું ઓપ્શન પ્રેક્ટિસ સેશન યોજાયું હતુ. મીડિયા રિપોર્ટ મુજબ આ દરમિયાન જ્યારે કેપ્ટન રોહિત શર્મા નેટ પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે બોલ તેના ડાબા હાથના અંગૂઠા પર વાગ્યો હતો. બોલને કારણે રોહિત શર્માને ટીમના ફિઝિયોની મદદ લેવી પડી હતી.
Guys, no need to worry.
— Vishal. (@SPORTYVISHAL) June 6, 2023
Today was optional practice session most players didn't turn up but still Rohit Sharma came.
It shows how determined and focused he is for the WTC Final. Nothing can stop him and this minor injury is nothing for him. Hitman will play tomorrow. pic.twitter.com/yXSsfkK3Q5
પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 16 જૂને મોટા પડદા પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે તેનું એક્શન ટ્રેલર રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. તિરુપતિમાં આયોજિત મેગા ઈવેન્ટમાં ફિલ્મનું એક્શન ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું એક્શન ટ્રેલર 2 મિનિટ 27 સેકન્ડનું છે. આ પહેલા રિલીઝ થયેલા ટ્રેલરમાં લોકોને ભગવાન રામની લાગણી જોવા મળી હતી. તો સાથે સાથે આ એક્શન ટ્રેલરમાં લોકોને ભગવાન રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ જોવા મળ્યું. આદિપુરુષનું દમદાર ટ્રેલર ભગવાન રામની વાર્તા કહી રહ્યું છે. એક્શન ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે રાવણ માતા સીતાનું છેતરપિંડી કરીને અપહરણ કરે છે. જ્યારે શ્રીરામને આ સમાચાર મળે છે, ત્યારે તે રાવણને કહે છે કે 'હું ન્યાયના બે પગથી અન્યાયના દસ માથા કચડવા આવું છું. હું મારી જાનકીને લેવા આવું છું. હું અધર્મનો અંત લાવવા આવું છું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.