બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cyclone Biporjoy is moving westward assuming a severe form in Arabian Sea

સાવધાન / ગુજરાત પર તોળાતું સંકટ: વિકરાળ બન્યું બિપોરજોય વાવાઝોડું, દ્વારકા-પોરબંદરની આટલી નજીક પહોંચ્યું, દરિયાકાંઠે હાઈઍલર્ટ

Malay

Last Updated: 07:58 AM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biporjoy Cyclone Updates: અરબી સમુદ્રમાં પ્રચંડ રૂપ ધારણ કરી બિપોરજોય વાવાઝોડું પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. અત્યારે આ વાવાઝોડું પોરબંદરથી 530 કિમી દૂર અને દ્વારકાથી 590 કિમી દૂર છે.

 

  • વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર
  • વાવાઝોડું પોરબંદરથી 530 કિમી દૂર
  • રાજકોટથી SDRFની ટીમ કચ્છ મોકલાઈ
  • દરિયાકાંઠા વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવાયો 

બિપોરજોય વાવાઝોડું ગુજરાત માટે ફરી ચિંતાનો વિષય બન્યું છે, કારણ કે આ અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું આ વાવાઝોડુ સતત પોતાની દિશા બદલી રહ્યું છે. અત્યાર સુધી ઓમાન તરફ ફંટાશે અને ગુજરાત સહિત દેશભરમાં કોઇ અસર નહીં થાય તેવી ચર્ચા થતી હતી. જોકે, હવે ફરી થોડી ગુજરાત તરફ વાવાઝોડાની દિશા બદલાતા હવે ગુજરાતમાં ચિંતા વધી છે. આ વચ્ચે બિપોરજોય વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.

No description available.

પોરબંદરથી 530 કિમી દૂર છે વાવાઝોડું
અરબ સાગરમાં સર્જાયેલા અત્યંત શક્તિશાળી વાવાઝોડા બિપોરજોયે ફરી પોતાની દિશા બદલી છે. અરબી સમુદ્રમાં પ્રચંડ રૂપ ધારણ કરી વાવાઝોડું પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.  વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અત્યારે બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 530 કિમી દૂર છે. જ્યારે આ વાવાઝોડું દ્વારકાથી 590 કિમી અને નલિયાથી 670 કિમી દૂર છે.

દરિયાકિનારે જવા પર પ્રતિબંધ 
વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાને રાખીને NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.  સુરત, પોરબંદર, વલસાડ અને દ્વારકામાં દરિયાકિનારે જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.  
સોમનાથ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોના જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ગીર સોમનાથમાં એલર્ટ જાહેર
બિપોરજોય વાવાઝોડાને લઈ ગીર સોમનાથમાં એલર્ટ જાહેર કરાયું છે. વેરાવળ બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગીર સોમનાથ વહીવટી અને પોલીસ તંત્ર પણ સતર્ક છે. વેરાવળ સોમનાથના સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વેરાવળની ચોપાટી પર પણ લોકોના જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દરિયાકાંઠા વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. કોઈપણ સ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. 

SDRFની ટીમ કચ્છ મોકલાઈ
બિપોરજોય વાવાઝોડાને લઈને કચ્છ તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજકોટથી SDRFની ટીમ કચ્છ મોકલાઈ છે. જખૌ બંદર પર SDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. SDRFના કુલ 19 જવાન જખૌ બંદર પર તૈનાત કરાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ