બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / covid 19 income tax dept refunds rs 5204 crore over 8 lakh msmes last 10 days cbdt

સૂચના / ઈન્કમટૅક્સ રિફંડ માટે 7 દિવસમાં કરવું પડશે આ કામ, અલર્ટ જાહેર

Published By: Krupa

Last Updated: 10:00 AM, 19 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંકટથી નિપટવા માટે સરકાર તરફથી ઘણા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. આ હેઠળ ઇન્કમ ટેક્સ વિભાગે પણ નાના વ્યવસાયોને જલ્દીથી જલ્દીથી રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરૂ દીધી છે.

માત્ર 10 દિવસમાં લગભગ 8.2 લાખ નાના વ્યવસાયોને કુલ 5204 કરોડ રૂપિયાના આયકર રિફંડ જારી કરવામાં આવ્યા છે. પરંતુ આયકર વિભાર હજુ પણ 1.74 લાખ મામલામાં રિફંડ જારી કરી શક્યું નથી. 

આ સંબંધમાં આયકરથી જોડાયેલી ઉચ્ચ સંસ્થા સીબીડીટીએ કરદાતાઓને એલર્ટ જારી કર્યું છે. સીબીડીટીએ જણાવ્યું કે લગભગ 1,74 લાખ મામલામાં કરદાતાઓના જવાબની રાહ જોવામાં આવી રહી છે. 

આ સંબંધમાં 7 દિવસની અંદર જવાબ આપવા માટે રિમાઇન્ડર ઇમેલ મોકલવામાં આવ્યો છે. કારણ કે રિફંડની પ્રોસેસિંગ જલ્દીથી જલ્દી કરી શકાય. 

કરદાતાઓ એના માટે ઇ-ફાઇલિંગ ખાતામાં લૉગ ઇન કરીને વિભાગને જવાબ આપી શકે છે. એના માટે www.incometaxindiaefiling.gov.in વેબસાઇટ પર વિઝિટ કરવું પડશે. 

સીબીડીટી પ્રમાણે એમએસએમઇ સેક્ટરના નાના વ્યવસાયોને રાહત પ્રદાન કરવા પર ફોકસ કરતાં જલ્દીથી જલ્દી 7760 કરોડ રૂપિયાના વધારે રિફંડ જારી કરવામાં આવશે. 

જણાવી દઇએ કે કોરોના સંકટને જોતા સરકારે ઇન્કમ ટેક્સ અને જીએસટી રિફંડથી જોડાયેલા ઘણી જગ્યાએ રાહત આપી છે. એવી સ્થિતિથી નિપટવા માટે આયકર વિભાગે વધારે કરદાતાઓની સગવડતા માટે એક્ટિવ મોડમાં છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Income Tax business covid 19 આયકર વિભાગ ઇન્કમ ટેક્સ કોરોના વાયરસ Information

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ