બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Covid 19: AIIMS doctor said that Booster Dose can do more harm than good at this time
Vaidehi
Last Updated: 04:40 PM, 18 April 2023
દિલ્હીની એઈમ્સ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર ડો. સંજય રાયનું કહેવું છે કે અત્યારે કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ ફાયદો કરતાં નુકસાન વધુ કરી શકે છે. શરૂઆતમાં જ્યારે વધુ લોકો સંક્રમિત ન હતા ત્યારે લોકોમાં હર્ડ ઈમ્યુનિટી નહોતી અને વેક્સિનની જરૂર હતી, જ્યારે હવે દેશમાં મોટા ભાગના લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમનામાં નેચરલ ઈમ્યુનિટી પણ વિકસિત થઈ ચૂકી છે, જે કોઈ પણ વાઈરસથી બચાવવામાં વેક્સિનથી વધુ અસરકારક છે. વેક્સિનથી કોરોનાની કોઈ નવી લહેરને રોકી શકાશે નહીં.
૧૬ ટકાના ઘટાડા સાથે ૭,૬૩૩ નવા કેસ
દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના દૈનિક નવા કેસમાં ૧૬ ટકાના ઘટાડા સાથે નજીવી રાહત મળી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭,૬૩૩ નવા કેસ સામે આવ્યા છે અને આ સાથે હવે કુલ કેસની સંખ્યા વધીને ૪,૪૮,૩૪,૮૫૯ થઈ છે. એ જ રીતે કોરોનાના ડેઈલી પોઝિટિવિટી રેટમાં પણ મોટી રાહત મળી છે, જે ૮.૪૦ ટકાથી ઘટીને ૩.૬૨ ટકા થયો છે, જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ પણ ઘટીને ૫.૦૪ ટકા થયો છે. કોરોનાના એક્ટિવ કેસ વધીને ૬૧,૨૩૩ થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોનાના કારણે વધુ સાત સંક્રમિતોનાં મોત થયાં છે, જેમાં દિલ્હીમાં ચાર, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં એક-એક દર્દીનાં મોતનો સમાવેશ થાય છે. આ સાથે દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૫,૩૧,૧૫૨ થયો છે, જેમાં કેરળનાં ચાર બેકલોગ મોતનો પણ સમાવેશ થાય છે.
રિકવરી રેટ ૯૮.૬૮ ટકા પર યથાવત્
છેલ્લા ૨૪ કલાકમાં ૬,૭૦૨ સંક્રમિતોએ કોરોનાને માત આપતાં અત્યાર સુધીમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા ૪,૪૨,૪૨,૪૭૪ થઈ છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના માટે ૨,૧૧,૦૨૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને આ સાથે અત્યાર સુધીમાં કુલ ૯૨,૪૩,૭૭,૧૫૦ સેમ્પલનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વેક્સિનના ૭૪૯ ડોઝ આપવામાં આવ્યા હતા અને આ સાથે અત્યાર સુધીમાં કુલ ૨,૨૦,૬૬,૨૭,૨૭૧ ડોઝ અપાઈ ચૂક્યા છે. દેશમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર એટલે કે રિકવરી રેટ ૯૮.૬૮ ટકા પર યથાવત્ રહ્યો છે.
AIIMS doctor Dr Sanjay Rai is of the opinion that at this point of time, a booster dose of the vaccine can do more harm than good.The situation that we are seeing right now will continue forever. So giving more steroids to prevent infection may do you more harm than good,he said. pic.twitter.com/Lk4sl3OuSZ
— Koshal Dar (@DarKoshal) April 17, 2023
ગુજરાતમાં ૨,૨૧૫ કેસ એક્ટિવ
રાજ્યવાર એક્ટિવ કેસની સ્થિતિ જોઈએ તો ૧૯,૭૧૪ એક્ટિવ કેસ સાથે કેરળ હજુ પણ દેશમાં ટોચ પર છે, જ્યારે ૬,૦૮૭ એક્ટિવ કેસ સાથે મહારાષ્ટ્ર બીજા સ્થાને છે. એ જ રીતે દિલ્હીમાં ૪,૯૭૬, હરિયાણામાં ૪,૩૬૨, ઉત્તરપ્રદેશમાં ૩,૬૯૩, તામિલનાડુમાં ૩,૩૩૦, રાજસ્થાનમાં ૨,૫૪૮, છત્તીસગઢમાં ૨,૨૨૨, ગુજરાતમાં ૨,૨૧૫, હિમાચલ પ્રદેશમાં ૧,૯૦૫, કર્ણાટકમાં ૧,૯૦૪, ઓડિશામાં ૧,૮૦૦, પંજાબમાં ૧,૫૭૪, જમ્મુ-કાશ્મીરમાં ૭૩૮ એક્ટિવ કેસ નોંધાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime